Site icon

જેલમાંથી જામીન પર છૂટીને આ સાંસદ સીધા હોસ્પિટલ ભેગા થયા.જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા(MP Navneet Rana) 12 દિવસ બાદ જેલમાંથી આજે જામીન પર મુક્ત થયા છે. જોકે જેલમાંથી છૂટવાની સાથે જ તેમને સીધા હોસ્પિટલ ભેગા થવું પડ્યું છે.

નવનીત રાણાને સ્પોન્ડીલેસિસના કારણે જેલમાંથી સીધા જ બાંદ્રા ની ખાનગી હોસ્પિટલમાં(Private hospital) દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમના પતિ અને ધારાસભ્ય રવિ રાણા(Ravi rana) ને પણ ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત કરવામાં આવશે.

રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલ અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણા ને બુધવારે મુંબઈની વિશેષ અદાલતે(Special court) જામીન(Bail) આપ્યા હતા. સાંસદ નવનીત રાણાને તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાં હતા ત્યારે તેમની સ્પોન્ડિલેસિસની તકલીફ વધી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : રાણા દંપતીના ઘરે ઈન્સ્પેકશન કરવા ગયેલી BMCની ટીમ વિલા મોં એ પાછી ફરી, જાણો વિગતે.

નવનીત રાણાએ સત્તાવાળાઓ પર આરોપ લગાવ્યો છે કે તેઓ જેલમાં હતા ત્યારે તેમને સ્પોન્ડિલોસિસથી(Spondylosis) પીડિત હોવાનું વારંવાર કહેવા છતાં તેમની અવગણના કરી હતી. દરમિયાન, તે હાલમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે. મેડિકલ રિપોર્ટ(Medical report) આવ્યા બાદ સ્પષ્ટ થશે કે તેમને રજા આપવી કે સારવાર ચાલુ રાખવી.

 

Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Exit mobile version