Site icon

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર સરકારનો માસ્ટર સ્ટ્રોક : મુંબઈમાં નગરસેવકોની સંખ્યા વધી ગઈ. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 11 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગમે તે હિસાબે જીતે નહીં તે માટે શિવસેના એ કમર કસી લીધી છે. આ માટે શિવસેના એ સમગ્ર મુંબઈના તમામ વોર્ડની પરિસીમા બદલવાનો નિર્ણય કર્યો. હવે બીજા તબક્કામાં મુંબઈ શહેરના નગરસેવકોની સંખ્યા વધારી નાખવામાં આવી છે. પરિસીમન ની સાથે જ મહારાષ્ટ્રના મંત્રીમંડળે બીજો નિર્ણય લીધો છે જે મુજબ મુંબઇ શહેરમાં ૯ નગરસેવકોની સંખ્યા વધી જશે. એટલે કે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી 227 નહીં પરંતુ 236 બેઠકો માટે થશે.

ઉલ્લેખનીય છે કે શિવસેનાએ સૌથી પહેલા સ્થાનિક સ્તર પર કાર્યકર્તાઓને જાગૃત કર્યા ત્યારબાદ મુંબઈ શહેરમાં જે વિસ્તારોમાં ભાજપના મતદાતાઓ હતા તે વિસ્તારના ટુકડા કરી અને અલગ-અલગ ભાગોમાં વહેંચી નાખ્યા જેથી ભાજપને એક સાથે વોટ ન મળે. અને ત્યાર બાદ ફાજલ પડેલા વિસ્તારમાં નગરસેવકોની સંખ્યા વધારી નાખી કારણ કે આવું કરવાથી ભાજપને મુશ્કેલી પડી શકે તેમ છે.

કોના બાપની દિવાળી? બોરીવલી, કાંદિવલી અને દહિસરના સ્કાયવોક ના સમારકામ માટે કરોડો ખર્ચાશે. સાંભળીને આંખો પહોળી થઈ જાય તેટલા પૈસા નું પાણી થશે.

સૌથી મોટી વાત એ છે કે નવા પરિસીમન ને ચૂંટણી પંચ તરફથી પરવાનગી મળી નથી. તે પહેલાં જ રાજ્ય સરકાર પોતાની રીતે આગળ વધી રહી છે.
આથી એક વાત નક્કી છે કે શિવસેના ગમે તે ભોગે મુંબઈને પોતાના હાથથી જવા દેવા માંગતી નથી.

Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Mumbai Metro 3: દક્ષિણ મુંબઈમાં મોટી બેદરકારી: બોરવેલના ડ્રિલિંગમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ થઈ પંચર
Mahim Dumper Accident: માહિમમાં પાલિકાના કચરાના ડમ્પરે વૃદ્ધાને અડફેટે લીધા: ગંભીર અકસ્માતથી રહીશોમાં ભારે રોષ, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
ONGC Theft Gang: મુંબઈના દરિયામાં ONGC પ્લેટફોર્મ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ₹૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત, માછીમારીના બહાને કરતા હતા લૂંટ
Exit mobile version