સારા સમાચાર: મુંબઈમાં સામાન્ય નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધની શક્યતા નહીંવત, જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022  

 શનિવાર. 

મુંબઈમાં કોરોના ભયજનક રીતે વધી રહેલા કેસને પગલે શું ફરી એક વખત લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકના પ્રવાસ પર પ્રતિબંધ આવી જશે એવા સવાલ થઈ રહ્યા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે વેક્સિનેટેડ લોકોના રેલવે પ્રવાસથી કોઈ જોખમ ન હોવાનું કહ્યું છે. તેથી મુંબઈગરાને હાલ પૂરતી રાહત થઈ છે.

કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું કે હાલ હોસ્પિટલમાં દાખલ થયેલા અને ઓક્સિજન પર રહેલા અમુક દર્દીઓેએ કોવિડની વેક્સિન એક પણ ડોઝ લીધો ન હોવાનું જણાયું છે. વૅક્સિનના બંને ડોઝ લેનારાને પણ કોરોનાનો ચેપ લાગે છે પરંતુ તે દર્દી પાંચ દિવસે સાજો થઈ રહ્યો છે.  

ગત રાતથી મુંબઈમાં વરસાદ શરૂ. ઉત્તર મુંબઈમાં વહેલી સવારથી હળવા ઝાપટા પડયાં. જાણો શું છે મોસમનો વરતારો.

મુંબઈમાં હાલ 108 ટકા લોકોનો પહેલો ડોઝ તો 90 ટકા લોકોનો વૅક્સિન નો બીજો ડોઝ થઈ ગયો છે. તેથી તેમના  લોકલ ટ્રેનના પ્રવાસ કરવામાં કોઈ જોખમ નથી. તેથી હાલ પૂરતું લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂકવાની કોઈ યોજના ન હોવાનું કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More