હવે મુંબઈની આસપાસના વિસ્તાર મુંબઈ માટે જોખમી. કોરોના અહિયાંથી મુંબઈમાં ઈમ્પોર્ટ થશે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે 2021

શનિવાર

સમગ્ર મુંબઈ શહેરમાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે ત્યારે એક ચિંતા ના સમાચાર આવ્યા છે. વાત એમ છે કે મુંબઈને અડીને આવેલા વસઈ અને વિરાર માં પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે. અહીં કોરોનાના ટેસ્ટિંગ બાદ પોઝિટીવિટી રેટ 55 ટકા છે.  એટલે કે દર વીસ માણસના ટેસ્ટિંગ પર ૧૧ જણા પોઝીટીવ છે. અત્યારે વસઈ અને વિરાર વિસ્તારમાં કુલ દસ હજાર કોરોના પોઝિટિવ પેશન્ટ છે.

કોરોના વિરુદ્ધ જંગમાં ભારતની મદદે આવ્યું સંયુક્ત રાષ્ટ્ર, 10 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર સાથે મોકલી આ મોટી સહાય

ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેર માટે કામ કરનાર મોટો નોકરિયાત વર્ગ બોરીવલી પછી વિરાર  સુધી અને અમુક એમ.એમ.આર રિજનમાં રહે છે. આ લોકો મુંબઈ શરૂ થતાની સાથે જ દૈનિક ટ્રેનમાં સફર કરી અને રોજીરોટી મેળવવા શહેરમાં આવે છે.

એકવાર લોકડાઉન  ખસી ગયું ત્યાર બાદ તેઓ પાછા મુંબઈ ના ધક્કા ખાવાના શરૂ કરશે. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરની પરિસ્થિતિ વણસી શકે છે જે માટે મુંબઈવાસીઓને નહીં પરંતુ મુંબઈની બહારના લોકો જવાબદાર હશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More