Site icon

કોરોનાને લઈને બેફિકર થઈ ગયા હોવ તો જરા સાવચેત રહેજો, મુંબઈમાં શહેરની તુલનાએ પરામાં આટલા એક્ટિવ કેસ: જાણો આંકડા

Marburg virus: WHO confirms outbreak of virus after 9 deaths

ચામાચીડિયા દ્વારા ફેલાયલો મારબર્ગ વાયરસ બન્યો વૈશ્વિક જોખમ, અત્યાર સુધીમાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

કોરોનાના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કોરોના મહામારી ખતમ થવાને આરે છે, પરંતુ કોરોના વાયરસ મુંબઈ શહેરની સરખામણીએ પરામાં વધુ સક્રિય છે. જે ચિંતાજનક વાત છે. BMCના આંકડાઓ પર નજર કરીએ તો હાલમાં ઉપનગરમાં કોવિડના ઘણા સક્રિય કેસ છે. જ્યારે શહેરમાં સક્રિય કોવિડ દર્દીઓની સંખ્યા ઓછી છે.

મુંબઈમાં કોરોનાની બીજી લહેર ઓસરી ગયાને ઘણા મહિનાઓ વીતી ગયા છે. હાલમાં મુંબઈમાં 250થી 350 નવા કોવિડ દર્દીઓ મળી રહ્યા છે. આમ તો કોરોના સંપૂર્ણ રીતે કાબૂમાં છે, પરંતુ હજુ પણ પરામાં કોરોના ઘણા સક્રિય દર્દીઓ છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં પરામાં સૌથી વધુ 314 સક્રિય દર્દીઓ અંધેરી વેસ્ટમાં છે. ત્યારબાદ બાંદ્રામાં 214, અંધેરી પૂર્વમાં 196, બોરીવલીમાં 191 અને પછી શહેરના ફક્ત ગ્રાન્ટ રોડ વિસ્તારમાં 172 છે. મુંબઈમાં બુધવાર સુધીમાં 2812 સક્રિય દર્દીઓ હતા, જેમાંથી 1087 સક્રિય દર્દીઓ ઉપરોક્ત 5 વિસ્તારોમાં છે. આ આંકડા દર્શાવે છે કે કોરોનાથી હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે.

ભારતને મળશે પોતાની જ ક્રિપ્ટોકરન્સી, RBIએ કરી આ મોટી જાહેરાત; જાણો વિગતે

BMCના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસર ડૉ. દક્ષા શાહે મીડિયાને જણાવ્યું હતું કે પરામાં વસ્તી શહેર કરતાં ઘણી વધારે છે. તેથી, ત્યાં દર્દીઓની સંખ્યા પણ વધુ છે. તેમાં કેટલાક લોકોને રસીનો બીજો ડોઝ મળ્યો નથી. કેટલાકની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે કારણ કે તેઓ પહેલેથી ઘણા રોગો સામે લડી રહ્યા છે. આ જ કારણ છે કે કેટલાક લોકો હજુ પણ સંક્રમિત થઈ રહ્યા છે.

મુંબઈમાં બુધવાર સુધીમાં 2821 એક્ટિવ દર્દીઓ હતા. સારી વાત એ છે કે તેમાંથી 1523 એટલે કે 54 ટકા દર્દીઓ એસિમ્પટમેટિક છે. જ્યારે 1043 દર્દીઓમાં રોગના લક્ષણો છે. બાકીના 255 દર્દીઓની હાલત નાજુક છે.

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version