Site icon

સૌથી મોટા સમાચાર : શું મુંબઈમાં લોકડાઉન ચાલુ રહેશે? મહાનગરપાલિકાએ આપ્યો આ જવાબ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર

જેમ જેમ 15 તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ મુંબઈવાસીઓને ના દિલની ધડકન તેજ થઇ રહી છે. લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું મુંબઈમાં લોકડાઉન સમાપ્ત થશે? હવે આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ ફોડ પાડ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકાના અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણી એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે મુંબઈ શહેરમાં કોરોના કાબુમાં આવ્યો છે. પરંતુ મુંબઈ શહેરની આસપાસના વિસ્તારની પરિસ્થિતિ શું છે તેના પર આધારિત રહેશે કે મુંબઈમાં લોકડાઉન ચાલુ રાખવું કે બંધ કરવું.

Join Our WhatsApp Community

હવે આ રાજ્યમાં મહારાષ્ટ્રથી આવનારાઓ માટે નો એન્ટ્રી.

આનો અર્થ એવો થાય છે કે મુંબઈની આજુબાજુમાં આવેલા જિલ્લાઓ જેવા કે થાણા, પાલઘર, નવી મુંબઈ, નાસિક, રાયગઢ આવા વિસ્તારોમાં કોરોના ની શું પરિસ્થિતિ છે તેના પર મુંબઈ શહેરના લોકડાઉન નો મદાર છે.

મહાનગર પાલિકાનું માનવું છે કે જો આસપાસના વિસ્તારમાં પરિસ્થિતિ ખરાબ હોય તો ત્યાંના લોકો ઝડપભેર મુંબઈ આવી જશે અને મુંબઈની સ્થિતિ પણ ખરાબ થઈ જશે.

હવે આ સમગ્ર વિષય સંદર્ભે છેલ્લો નિર્ણય રાજ્ય સરકાર લેશે.

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version