News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: માણસને માણસની એલર્જી થઈ ગઈ છે. માણસાઈને ( being human ) લૂણો લાગે એવી ઘટનાઓથી અખબારોની હેડલાઇન ઊભરાય છે. પાશવીપણું એ પશુનો જ ઇજારો નથી રહ્યો. દમનનનો કોરડો વીંઝવાની મહેચ્છા ખૂંખાર અને બંધા ધર્મઝનૂનીઓને જંપવા નથી દેતી. જનાબ રાજેશ રેડ્ડીએ ( Rajesh Reddy ) લખ્યું છેઃ
ક્યા બતાઈ આપ કો અપને નયે ઘર કા પતા,
ઇન દિનો રહતા હું મેં, દહેશતકી દીવારો કે બીચ.
શાયર નીદા ફાઝલી ( Nida Fazli ) કહે છેઃ
મંદિરમે ન કોઈ બુત (મૂર્તિ), ન મસ્જિમે ખુદા થા,
કલ રાત મેરે શહરમેં ન જાને ક્યા હૂંઆ થા?!
શ્રીફળની જેમ વધેરાઈ જતાં માથા કે ટાંકણી ભોંકાતા ફુગ્ગાની પેઠે ફાટી પડતા માનવ-દેહો થકી હલાલ થયેલી માણસાઈ લોહીલુહાણ થઈને ખલીલ સાહેબની જેમ પોકારી ઊઠે છેઃ
ગીતા હૂં, કુરાન હૂં મેં, મુઝકો પઢ ઇનસાન હૂં મેં
બધા ઇકબાલની આ પંક્તિઓ ગોખીને મોટા થયા છીએઃ
મઝહબ નહીં સીખાતા આપસ મેં બૈર રખના.
આ પણ વાંચો : Gujarati Sahitya: હસો, ખૂબ હસો, ન કરશો આ જિંદગી હસવા સમી!!
છતાં હવે આપણે બધા મલાજો મૂકીને ધરમને નામે ધાડપાડુઓ થયેલા ખંજરનાચ કરતા થઈ ગયાં છે. એટલે તો જોશ મલીહાબાદીએ ( Josh Malihabadi ) કહ્યું હતુંઃ
અય આસમાં, તેરે ખુદાકા નહીં હૈ ખૌફ
ડરતે હૈં અય ઝમીં, તેરે આદમી સે હમ!
ઝેરીલા સાપથીયે ખતરનાક માણસોના આ મહાનગર કેવા થઈ ગયાં છે? પરવીન શાકીર ( Parveen Shakir ) કહે છેઃ
મેં ઇતને સાંપો કો રાસ્તે મેં દેખ આઈ થી,
કે તેરે શહરમેં પહુંચી તો કોઈ ડર ન થા.
કવિએ કહેવું પડયુંઃ
આ માણસ નહીં, હેવાન છે,
ખૂન અને ખંજર એની પહેચાન છે!
આવા નિર્દય, નપેતરાં અને નઘરોળ માણસ હોવાની
કોને ખીજ ન ચડે ??

Ashwin Mehta