News Continuous Bureau | Mumbai
ગુરૂવાર તારીખ 7 મે ની સાંજે ઝરૂખો ,પ્રકાશક એન એમ ઠક્કર તથા પ્રજ્યોત સંઘવી ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપક્રમે એક ભવ્ય મુશાયરાનું(Mushaira) આયોજન થયું છે જેમાં વરિષ્ઠ ગઝલકાર જવાહર બક્ષી, ઉદયન ઠક્કર, હેમેન શાહ તથા કવિ મુકેશ જોશી અને કવિ સંજય પંડ્યા સહભાગી થશે.
બોરીવલીમાં આ પાંચ કવિઓ એક સાથે રજૂ થતા હોય એવો આ પહેલો પ્રસંગ છે .સાહિત્યના ચાહકો અહીં યોજાયેલા પુસ્તકમેળાનો પણ લાભ લઇ શકશે અને સાથે સાથે આ મુશાયરામાં પણ હાજરી આપી શકશે .
ગુરુવારે સાંજે સવા સાત વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમનું સ્થળ છે બેન્કવેટ હોલ ,ચોથા માળે, દૈવી ઈટરનીટી, ભાટિયા સ્કૂલની સામે ,સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટ .સર્વ ભાવકોને હાજરી આપવા માટે આયોજકો નિમંત્રણ પાઠવે છે.