Site icon

ઔરયામાં શ્રમિકો ભરેલી ગાડીને ટ્રકે જોરદાર ટક્કર મારી, 24 ના મૃત્યું, 36 થી વધુ ઘાયલ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

16 મે 2020

કોરોનાવાયરસથી ચાલતા લોકડાઉન વચ્ચે કામદારો જુદા જુદા રાજ્યોમાં પોતાનાના વતન જતા હતા. ત્યારે શનિવારે સવારે, એક ડીસીએમ લારીમાં મુસાફરી કરી રહેલા પ્રવાસી મજૂરોને પાછળથી ટ્રકએ જોરદાર ટક્કર મારતા  ઓછામાં ઓછા 24 થી વધુ પરપ્રાંતિય કામદારો તુરંત જ માર્યા ગયા હતા અને 36 થી વધુ ઘાયલ થયા હતા, ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં સવારે 30.30 વાગ્યે ઘટના બની હતી જેની જાણ થતાંજ પોલીસ અને એમ્બ્યુલન્સ મદદ માટે પહોચી ગયાં હતાં.

 સરકાર દ્વારા અનેક બસ અને ટ્રેનની શરૂવાત કરી હોવા છતાં માંગ સામે પૂરતી ન હોવાથી પરપ્રાંતિય કામદારો પગપાળા જ કે જુદા જુદા વાહનોમાં ભરાઈને પોતાના ગામ જઈ રહયા છે. બધા સ્થળાંતર કરનારા – મૂળ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના વતની હતાં અને રાજસ્થાનથી આવતા હતા. જ્યારે અન્યને Aરૈયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હકીકતમાં કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે કેન્દ્ર દ્વારા માર્ચ મહિનામાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન કરવાની ઘોષણા કર્યા બાદ દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા હજારો કામદારો પોતાના વતન ફરવા ઉતાવળા થયા છે અને આથી રોજને રોજ કોઈને કોઈ દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે..

Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Exit mobile version