આગ્રાના તાજમહેલ ખાતે મસ્જિદમાં ‘નમાઝ’ અદા કરાઈ.. પોલીસે 4 પર્યટકોની કરી ધરપકડ, જાણો શું છે કારણ..

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

હિન્દુ ધર્મસ્થાન(hindu religious place) હોવાના દાવા સાથે સર્જાયેલા વિવાદ વચ્ચે તાજમહાલના(Taj Mahal) કંપાઉન્ડમાં આવેલી મસ્જિદમાં નમાજ પઢનારા 4 પર્યટકોની(Tourists) ધરપકડ કરી છે.

આ મસ્જિદમાં માત્ર શુક્રવારના રોજ ત્યાંના સ્થાનિક રહેવાસીઓને નમાજ અદા કરવાની મંજૂરી છે. 

આ કારણોસર બહારથી આવેલા પર્યટકોએ બુધવારે નમાજ(Namaz) અદા કરી હોવાથી CISFના જવાનોએ તેમને પકડીને પોલીસને સોંપી દીધા.

હવે આ ચારેયની વિરુદ્ધ ‘રમખાણો(Riots) કરાવવાના હેતુથી ઉશ્કેરણી’ને સંબંધિત આઇપીસીની કલમ 153(Section 153) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

પોલીસના મતે મુસાફરોએ નિયમનો ભંગ કર્યો છે. જેના કારણે પરિસ્થિતિ બગડી શકે છે. 

આ કારણોથી મુસાફરોની વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં વ્યસ્ત છે.

આ સમાચાર પણ વાંચો :  નાસીક શહેરમાં ધારા 144 લાગુ… પ્રશાસન સજ્જ. જાણો શું થયું…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More