Site icon News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ વારાણસીમાં આ ખાસ રીતે કરાઈ માતા ગંગાની આરતી, જુઓ વીડિયો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર 
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. આ પ્રસંગે સમગ્ર દેશમાં તેમના ચાહકો અને ભાજપ જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યો છે. ત્યારે પીએમ મોદીના જન્મદિવસની પૂર્વસંધ્યાએ અસ્સી ઘાટ પર યોજાનારી વિશ્વવિખ્યાત ગંગા આરતીમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. અહીં મોક્ષ દૈની મા ગંગાની પૂજા વૈદિક મંત્રો સાથે સંપૂર્ણ વિધિ સાથે કરવામાં આવી હતી. એમાં પીએમ મોદીના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

જિલ્લાના અસ્સી ઘાટ પર જય મા ગંગા સેવા સમિતિએ દીવા પર 71 લખી, વડા પ્રધાનની તસવીર રાખી, દીવા પ્રગટાવવામાં આવ્યા અને દીપ-ઉત્સવનો કાર્યક્રમ ઊજવાયો. આરતીની શરૂઆત પહેલાં ગંગા પૂજા કરવામાં આવી હતી અને વડા પ્રધાનના સારા સ્વાસ્થ્ય માટે આરતી કરવામાં આવી હતી, જેથી તેઓ આ રીતે જ દેશની સેવા કરતા રહે. આ પ્રસંગે ઘાટને ખાસ શણગારવામાં આવ્યો હતો. 

Join Our WhatsApp Channel

શેરબજારમાં ફુલગુલાબી તેજી, સેન્સેક્સે 59500ની સપાટી વટાવી, નિફ્ટી 17,700ને પાર; જાણો કયા શેરોમાં જોવા મળી તેજી 

ઉલ્લેખનીય છે કે વારાણસી વડા પ્રધાન મોદીનું મતક્ષેત્ર છે. આ પ્રસંગે ભાજપ આજથી 20 દિવસ માટે જનસંપર્ક અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન 7 ઑક્ટોબર સુધી ચાલશે. પક્ષે પોતાના સેવા અને સમર્પણ અભિયાન હેઠળ દેશભરમાં પોતાના કાર્યકરોને મોદીની જન્મતિથિ પર કોરોના વેક્સિનેશનનો પ્રચાર કરવા માટે કહ્યું છે.

 

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version