Site icon News Continuous Bureau | Mumbai

માયાવતીના નનૈયા પછી મુખ્તારને મળી આ પાર્ટીની ઓફર, UPમાં કોઇ પણ બેઠક માટે ટિકિટ આપવા તૈયાર; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જેને લઇને હાલ રાજનીતિમાં ગરમાગરમી ચાલી રહી છે. 

માયાવતીએ મુખ્તાર અંસારીને ટિકિટ આપવાનો ઈનકાર કર્યા બાદ AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ધારાસભ્યને ખુલ્લી ઓફર આપી છે.

ઓવૈસીએ કહ્યુ કે મુખ્તાર અંસારી ઉત્તરપ્રદેશની જે બેઠક પર ચુંટણી લડવા માંગે તેમને ટિકિટ આપવા પાર્ટી તૈયાર છે.

યુપીમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે, ત્યારે ઓવૈસીએ પણ વિધાનસભાની ચૂંટણીને લઈને આગોતરૂ આયોજન કર્યુ છે. 

તેઓ આ મહિનામાં યુપી પ્રવાસ પર રહેશે, જેમાં તે 25 સપ્ટેમ્બરના રોજ પ્રયાગરાજ, 26 ના રોજ કાનપુર અને 30 સપ્ટેમ્બરના રોજ બહરાઈચની મુલાકાત લેશે.

યોગી સરકારનો મોટો નિર્ણય: મથુરા વૃંદાવનનો આટલા કિ.મી. વિસ્તાર તીર્થસ્થળ તરીકે જાહેર, આ વસ્તુઓના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ
 

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version