Site icon News Continuous Bureau | Mumbai

ડિસેમ્બરમાં શિવસેના વધુ 3 નેતાઓના કૌભાંડો બહાર લાવીને ભાજપના આ નેતાએ આપી ધમકી. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 30 નવેમ્બર  2021    
મંગળવાર.

છેલ્લા મહિલાઓથી ભાજપના નેતા કિરીટ સોમૈયા મહાવિકાસ આઘાડી સરકારના નેતાઓ પર કૌભાંડ કરવાનો  આરોપ લગાવી રહ્યા છે. તેમણે સતત પ્રેસ કોન્ફરન્સ કરીને અત્યાર સુધી અનેક નેતાઓના કૌભાંડોનો પર્દાફાશ કર્યો છે. હવે રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકારને બે વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે ભાજપના નેતાઓ વધુ આક્રમક બન્યા હોવાનું જણાઈ રહ્યું છે. હવે ફરી એકવાર કિરીટ સોમૈયાએ સનસનીખેજ ટ્વીટ કર્યું છે. ડિસેમ્બરમાં શિવસેનના વધુ 3 નેતાઓના કૌભાંડો બહાર કાઢવાની તેમણે ધમકી આપી છે.

Join Our WhatsApp Channel

કિરીય સોમૈયા ટ્વિટ કરીને કહ્યું હતું કે ડિસેમ્બરમાં ઠાકરે સરકારના વધુ 3 નેતાઓના કૌભાંડોનો તેઓ પર્દાફાશ કરશે. આવતીકાલે હું અમરાવતીમાં હોઈશ અને આવતીકાલે જાલનામાં હોઈશ. 

 

દેશમાં અંગદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મેળવતું મહારાષ્ટ્રનું ઓર્ગન ડોનેશન ઓર્ગેનાઇઝેશન

અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં ઠાકરે કેબિનેટના કુલ 12 મંત્રીઓ અને નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહાવિકાસ અઘાડી એ મહાવસુલી સરકાર છે જેણે છેલ્લા 24 મહિનામાં 24 મોટા કૌભાંડો જોયા છે  એવો આરોપ પણ કિરીટ સોમૈયાએ કર્યો હતો. સોમૈયાએ કહ્યું હતું મહાવિકાસ આઘાડીના અડધો ડઝન મંત્રીઓ, નેતાઓ જેલમાં જશે. સોમૈયાએ આ નેતાઓ અને ઠાકરે સરકાર પર મહારાષ્ટ્રને લૂંટવાનો આરોપ પણ લગાવ્યો હતો. હવે આ નવા સનસનાટીભર્યા ટ્વીટથી ફરી એકવાર આ ત્રણ મંત્રી કોણ હશે? તે અંગે લોકોમાં કૂતૂહલ જાગ્યું છે.

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version