Site icon News Continuous Bureau | Mumbai

અનિલ દેશમુખ પ્રકરણે CBIએ આ બે અધિકારીઓને સમન્સ મોકલ્યા, પણ અધિકારીઓએ કાર્યાલયમાં જવાનું નકારી દીધું; છેવટે CBIએ કરી વિનંતી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર ૧૦૦ કરોડની વસૂલીનો આરોપ છે. આ પ્રકરણે CBI  તપાસ કરી રહી છે. એમાં CBIએ અનેક અધિકારીઓના જવાબ નોંધ્યા છે. તપાસના એક ભાગ તરીકે હજી બે સાક્ષીઓના જવાબ નોંધાયા નથી. આ બે સાક્ષીઓ રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે અને પોલીસ મહાસંચાલક સંજય પાંડે છે.

CBIએ સીતારામ કુંટે અને સંજય પાંડેને સમન્સ મોકલ્યા હતા. CBIએ આ બાબતે અધિકૃત માહિતી રજૂ નથી કરી, પરંતુ બન્નેને ક્યારે અને કેટલા વાગ્યા સુધી તપાસ માટે બોલાવાશે એની સવિસ્તર માહિતી આપવામાં આવશે. જોકે સીતારામ કુંટે અને સંજય પાંડેએ CBI કાર્યાલયમાં જવાનું નકારી દીધું છે. આ પહેલાં બન્ને અધિકારીઓએ વીડિયો કૉન્ફરન્સ દ્વારા CBI સાથે ચર્ચા કરી હતી. CBIએ જવાબ નોંધવાનું આવશ્યક હોવાથી બંને અધિકારીઓને કાર્યાલયમાં આવવાની વિનંતી કરી છે.

Join Our WhatsApp Channel

સ્કૂલના પુસ્તકો વેચીને મુંબઈ આવ્યા હતા બોલિવૂડના ‘લાયન’ અજીત, આ કારણથી બન્યા ફિલ્મમાં વિલન; વાંચો રોચક કિસ્સો

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version