Site icon

 મુંબઈના ગુજરાતીઓની ઘરવાપસી; લોકો ચાલીને વાપી સુધી પહોંચ્યા 

 ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

ભારતમાં કોરોનાની વકરતી જતી પરિસ્થિતિને પગલે અનેક રાજ્યોએ પોતાની બોર્ડર સીલ કરી છે અને માત્ર કોરોનાનો નેગેટિવ રિપોર્ટ હોય તેવી વ્યક્તિને જ રાજ્યમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતે પણ વધતા જતા કોરોના સંક્રમણને પગલે આ નીતિ અપનાવી છે.

મુસાફરોને કોરોના નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ વગર પ્રવેશ ના મળતો હોવાથી મુંબઈ અને પનવેલના ૫૦થી વધુ મુસાફરો છુપા રસ્તે ચાલીને વાપી સુધી પહોચ્યા હતા. આ પ્રવાસીઓ રાજસ્થાન અને ગોધરા તરફ જઈ રહ્યા હતા. બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત હોવાથી તેઓ ૭૦ કિલોમીટર જેટલું ચાલીને છુપા રસ્તે વાપી હાઇવે પહોચ્યા હતા અને ત્યાર બાદ ખાનગી ટ્રાવેલ્સની બસમાં પોતાના ગંતવ્ય તરફ રવાના થયા હતા.

દરમિયાન કેટલાક ખાનગી લકઝરી બસમાં બોર્ડર પહોંચ્યા હતા અને બોર્ડર પરથી તેમને પાછા મોકલવામાં આવ્યા ત્યારે સ્થાનિકોએ બતાવેલા અંદરના માર્ગ પર તેઓ ચાલતા-ચાલતા વાપી સુધી આવ્યા હતા. વલસાડ જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ રાજય બહારના પ્રવાસીઓનું ચેકિંગ કરી રહી છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ પર પણ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 

રેમડેસિવીર કંઇ અમારા ઘરે બને છે? ગુસ્સે થયેલા મહારાષ્ટ્રના પ્રધાને વિચિત્ર જવાબ આપ્યો….

Raj Thackeray: શું મુંબઈમાં જોવા મળશે મોટો ખેલ? શાંત પ્રચાર પાછળ રાજ ઠાકરેની કઈ વ્યૂહરચના છે? ઠાકરેએ પોતે જ ખોલ્યા પત્તા
Raj Thackeray: મુંબઈમાં હવે ‘બોમ્બે ઢાબા’ પર વિવાદ: નામ જોતા જ રાજ ઠાકરેએ હાઈવે પર ગાડી ઉભી રખાવી, મનસે કાર્યકરોએ બોર્ડ તોડી પાડ્યું
Maharashtra: મહારાષ્ટ્રમાં હવામાનનો યુ-ટર્ન! મુંબઈમાં વાદળછાયું આકાશ, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી
Makar Sankranti: રેલવે મુસાફરો માટે સારા સમાચાર! મકર સંક્રાંતિ નિમિત્તે 150 સ્પેશિયલ ટ્રેનો દોડશે; શિરડી, તિરુપતિ અને મહારાષ્ટ્રના સ્ટેશનોનો પણ સમાવેશ
Exit mobile version