પ.બંગાળ બાદ હવે આ રાજ્યની શાળામાં કોરોના વિસ્ફોટ, એક બે નહીં પણ એક સાથે આટલા વિધાર્થીઓ થયા કોરોનાગ્રસ્ત; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો 

મુંબઈ

25 ડિસેમ્બર 2021

મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ મહારાષ્ટ્રના અહમદનગર સ્થિત એક વિદ્યાલયના 19 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. 

હાલ તમામને આઈસોલેશનમાં મોકલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે 

આ શાળા જિલ્લાના પારનેર તાલુકામાં ટાકલી ઢોકેશ્વર ગામમાં આવેલી નિવાસી શાળા નવોદય વિદ્યાલય નેટવર્કનો એક ભાગ છે, જે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળ આવે છે

ઉલ્લેખનીય છે કે દેશમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More