Site icon

ભાજપા મહારાષ્ટ્રમાં ફરી મોટો ખેલ પાડવાની તૈયારીમાં, કેન્દ્રીય મંત્રીએ કહ્યું માર્ચ સુધી બની જશે અમારી સરકાર, NCP સુપ્રીમો બધું કામ મૂકી દિલ્હી રવાના

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

મહારાષ્ટ્રમાં હાલ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં ત્રણ ત્રણ પાર્ટીઓ ભેગી થઈને સરકાર ચલાવી રહી છે. શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં આ ગઠબંધન પર અનેક વાર સવાલો ઊભા થતાં આવ્યા છે. એવામાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના એક નિવેદનથી ફરીવાર મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ તેજ થઇ ગઈ છે. કેન્દ્રીય મંત્રીએ એવો દાવો કર્યો છે કે મહારાષ્ટ્રની સરકારનું ટેન્શન વધી ગયું છે. 

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું છે કે મહારાષ્ટ્રમાં માર્ચ મહિના સુધી ભાજપની સરકાર બની જશે. જે પણ થશે તે સારા માટે થશે. જોકે આ બધુ કેન્દ્રીય મંત્રી જયપુરમાં બોલ્યા પણ NCPસુપ્રીમો પવાર પોતાના તમામ કાર્યક્રમ રદ્દ કરીને તાબડતોબ દિલ્હી માટે રવાના થઈ ગયા છે. શરદ પવારની સાથે સાથે પ્રફુલ પટેલ પણ રવાના થયા છે. ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ દિલ્હી પહોંચ્યા છે. 

ભાજપના આ નેતાએ મોદી સરકારને તમામ મોર્ચે નિષ્ફળ ગણાવી, જાણો વિગત

નોંધનીય છે કે ગુરુવારથી જ ભાજપનાં ઘણા બધા નેતાઓ દિલ્હી પહોંચી રહ્યા છે, ગઇકાલે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત દાદા પાટીલે ગૃહમંત્રી અમિત શાહ સાથે મીટિંગ કરી હતી, જોકે મીટિંગમાં દેવેન્દ્ર ફડણવીસ પહોંચી ન શક્યા, તે આજે BL સંતોષ સાથે બેઠક કરશે. 

સ્થાનિક મીડિયા અહેવાલોમાં ભાજપને લઈને અનેક સમાચાર વહેતા થયા છે, જોકે આ મુદ્દે કોઈ નેતાએ ખૂલીને નિવેદન આપ્યું નથી. 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version