ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર 2021
શુક્રવાર.
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં, કોરોના વાયરસની રસી ન લેનારાઓ માટે જિલ્લા વહીવટીતંત્રે ખૂબ જ કડક આદેશ આપ્યો છે.
જિલ્લા વહીવટીતંત્રે તમામ રેશનની દુકાનો, ગેસ એજન્સીઓ અને પેટ્રોલ પંપોને માત્ર એવા નાગરિકોને જ સામાન અને ઇંધણ સપ્લાય કરવા જણાવ્યું હતું જેમણે રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે.
આ ઉપરાંત જે લોકોએ રસી નહીં લીધી હોય તેઓ જિલ્લાના પ્રવાસન સ્થળો પર પણ પ્રવેશ મેળવી શકશે નહીં.
આ આદેશનું પાલન નહીં કરનારી વ્યક્તિઓ સામે વહિવટીતંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તથા એપિડેમિક ડિસીઝ એક્ટ હેઠળ કાર્યવાહી થશે.
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ઓછા પ્રમાણમાં રસીકરણ થયાનું જણાયા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું.