Site icon

હવે ઉત્તર પ્રદેશમાં બેથી વધુ બાળકો ધરાવતા લોકોને નહિ મળે સરકારી સ્કીમનો લાભ; ઉત્તર પ્રદેશ સરકાર લાવશે યુપી પૉપ્યુલેશન બિલ; જાણો વિગત

Property Right: That right will be snatched from the children who do not take care of their parents! Know which rule the Yogi government is going to make

Property Right: That right will be snatched from the children who do not take care of their parents! Know which rule the Yogi government is going to make

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૦ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

ઉત્તર પ્રદેશના રાજ્ય વિધિ આયોગે યુપી જનસંખ્યા બિલ 2021નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આગામી થોડા વખતમાં આયોગ આ ડ્રાફ્ટને અંતિમ રૂપ આપી રાજ્ય સરકારને સોંપી દેશે. આ ડ્રાફ્ટમાં રાજ્યમાં જનસંખ્યા નિયંત્રણ માટે કાનૂની ઉપાયોના રસ્તા સૂચવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના વિધિ આયોગે સત્તાવાર રીતે આ ડ્રાફ્ટને સરકારી વેબસાઇટ પર અપલોડ કર્યો છે. ઉપરાંત જનતા પાસે ૧૯ જુલાઈ સુધીમાં તેમનાં મંતવ્યો પણ માગ્યાં છે.

વિધિ આયોગે તૈયાર કરેલા આ ડ્રાફ્ટ અનુસાર બેથી વધુ બાળકો પર સરકારી નોકરીઓમાં આવેદનથી લઈ સ્થાનિક ચૂંટણી લડવા સુધી પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ ઉપરાંત ૭૭ સરકારી યોજનાઓ અને અનુદાનથી બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને વંચિત રાખવાની જોગવાઈ છે. જોકે આવો કોઈ ડ્રાફ્ટ તૈયાર કરવાનું રાજ્ય સરકાર દ્વારા કહેવાયું ન હતું, આયોગે જાતે જ આ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

બાપરેઃ પશ્ર્ચિમ ઉપનગરના આ વિસ્તારમાં નાગરિકોને 24 કલાક પાણી માટે વેઠવી પડશે હાલાકી

ઉલ્લેખનીય છે કે આ ડ્રાફ્ટ એવા સમયે રજૂ કરવામાં આવ્યો છે જ્યારે ૧૧ જુલાઈએ યોગી સરકાર નવી જનસંખ્યા નીતિ રજૂ કરવાની તૈયારીમાં છે. જો આ ડ્રાફ્ટ અમલમાં મુકાય તો એક વર્ષની અંદર જ તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક એકમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને શપથ પત્ર આપવું પડશે કે તેઓ આનું ઉલ્લંઘન કરશે નહીં અને ઉલ્લંઘન થવા પર સરકારી કર્મચારીઓનું પ્રમોશન રોકવા ઉપરાંત તેમને બરતરફ કરવાની ભલામણ આ ડ્રાફ્ટમાં કરવામાં આવી છે.

Gujarat ATS: દરજીના વેશમાં આતંકી માનસિકતા! નવસારીથી ઝડપાયેલા યુવકના ખતરનાક ઈરાદા જાણી એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: બારામતીમાં ભીષણ વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન
Ajit Pawar Plane Accident: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારના વિમાનનું બારામતીમાં લેન્ડિંગ વખતે અકસ્માત, ગંભીર ઈજાના અહેવાલથી વહીવટીતંત્ર દોડતું થયું.
Exit mobile version