News Continuous Bureau | Mumbai
ઔરંગાબાદના(Aurangabad) નામ બદલવાના વિવાદ બાદ હવે અહેમદનગર(Ahmednagar) નામ બદલવાની માંગ સામે આવી છે.
ભાજપના ધારાસભ્ય(BJP MLA) ગોપીચંદ પાડલકરે(Gopichand Padalkar) અહમદનગરનું નામ બદલીને અહિલ્યાનગર(Ahilyanagar) કરવાની માંગ કરી છે.
તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને(Chief Minister Uddhav Thackeray) પત્ર લખીને અહમદનગરનું નામ બદલવાની વિનંતી કરી છે.
આ માટે તેમણે અહિલ્યા દેવી હોલકરના જન્મદિવસ(Birthday) નિમિત્તે ચૌંડી ખાતે આયોજિત કાર્યક્રમ અને તેમને ચૌંડી જવાથી રોકવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
ઉલેખનીય છે કે અહેમદનગરનું નામ બદલવાની જૂની માંગ છે. અગાઉ હિન્દુત્વવાદી(Hindutva) સંગઠનોએ અંબિકાનગર(Ambikanagar) નામ સૂચવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : સીએમ યોગી આદિત્યનાથનો મોટો નિર્ણય -રામ અને કૃષ્ણના ધામમાં હવે આ વસ્તુનું વેચાણ નહીં થાય- જાણો વિગતે