Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસનો ભીષણ એક્સિડન્ટ, આટલા લોકોના નિપજ્યા મોત, છ જખમી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર.

મુંબઈ-આગ્રા હાઈવે પર મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની શિવશાહી બસનો ભીષણ એક્સિડન્ટ થયો છે, જેમાં દુઘર્ટના સ્થળે જ  એક વ્યક્તિનું  મોત નીપજ્યું હતું અને અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુઘર્ટના  હાઈવે પર નાશિકમાં તપોવન કોર્નર ખાતે બની હતી.

સ્ટેટ ટ્રાન્સપોર્ટના પ્રવકતાના જણાવ્યા મુજબ નાસિક-ઔરંગાબાદ શિવશાહી બસ તપોવન કોર્નર પાસે આવી રહી હતી, ત્યારે ડ્રાઈવરે બસ પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને ફ્લાયઓવર ની નીચે અન્ય બસ સાથે જોશભેર  અથડાઈ હતી, તેણે એક ટુ-વ્હીલરને પણ ટક્કર મારી હતી. જેમાં ટુ-વ્હીલર સવાર નું મૃત્યુ થયું હતું અને અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાનની મુશ્કેલીમાં વધારોઃ કોર્ટે હવે આપ્યો આ આદેશ; જાણો વિગત

શિવશાહી બસની સુરક્ષાનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે. રાજ્યમાં અગાઉ પણ અનેક વખત આ બસ અકસ્માતમાં મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. આથી સરકાર દ્વારા શિવશાહી બસની મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવા માટે જરૂરી પગલાં ભરવામાં આવે તેવી મુસાફરો માંગ કરી રહ્યા છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version