Site icon News Continuous Bureau | Mumbai

ઘર ખરીદવા ઇચ્છુક ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવા મહારેરાએ ડેવલપરો માટે લીધો આ નિર્ણય. જાણો વિગત.

MahaRERA notices to 261 projects with slow pace

મહારેરાએ રાજ્યના 261 પ્રોજેક્ટ્સને ફટકારી કારણ બતાવો નોટિસ, સૌથી વધુ અધૂરા પ્રોજેક્ટ આ શહેરમાં..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 નવેમ્બર,  2021 

Join Our WhatsApp Channel

મંગળવાર.

ઘર ખરીદનારા ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવા માટે મહારેરાએ બહુ મહત્ત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ ડેવલપરે ગીરવે મૂકેલી મિલકત સંબંધી દસ્તાવેજો રજૂ કરવાનું ફરજિયાત રહેશે.

ડેવલપરે મહારેરામાં રજિસ્ટર્ડ પ્રોજેક્ટમાંના ઘર અથવા મિલકત પર લોન લીધી હશે અથવા ઘર તેમ જ મિલકત ગિરવી મૂકી હશે તો અંગેના સેન્ટ્રલ રજિસ્ટ્રી સિક્યુરિટાઈઝેશન ઍસેટ રિકન્સ્ટ્રકશન ઍન્ડ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ ઓફ ઈન્ડિયા (સીઈઆરએસએઆઈસી) દસ્તાવેજો મહારેરાને રજૂ કરવાનું ફરજિયાત કરાયું છે.

આજથી પંચપર્વની શરૂઆત: ધનતેરસના દિવસે આ સમયે કરો સોના-ચાંદીની ખરીદી, જાણો શુભ મુહૂર્ત

મહારેરાના આ પગલાને કારણે ઘર પર લોન લેવામાં આવી છે કે અથવા તે ઘર ગીરવે તો નથી મુકાયું તેની તમામ માહિતી ગ્રાહકોને મળી રહેશે. તેમજ તેને કારણે ગ્રાહકો સાથે થતી છેતરપિંડી પર પણ અંકુશ આવશે.

મહારેરા પાસે રજીસ્ટ્રેશન કરતી વખતે હાઉસિંગ પ્રોજેક્ટ પર લોન લીધી છે કે પ્રોજેક્ટના ઘર ગિરવે મુકાયા છે એની માહિતી ડેવલપરે આપવાની હોય છે. આ માહિતી તેણે એફિડેવિડ કરીને આપવાની હોય છે. જોકે તેણે આપેલી માહિતી સાચી છે કે નહીં તેની કોઈ ખાતરી હોતી નથી. તેને કારણે ઘર ખરીદનાર ગ્રાહક છેતરાઈ જતો હોય છે. તેથી ડેવલપર પાસેથી સાચી અને કાયદેસર માહિતી મળે તે માટે મહારેરાએ સીઈઆરએસએઆઈ દસ્તાવેજો રજૂ કરવાનું ફરજિયાત કર્યું છે

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version