Karnataka: કર્ણાટકમાં મંદિરો પર ટેક્સ લાદવાની સરકારની યોજનાને મોટો ઝટકો! BJP-JDSના વિરોધ બાદ વિધાન પરિષદમાં બિલ નામંજુર..

Karnataka: કર્ણાટકની કોંગ્રેસ સરકારને વિવાદાસ્પદ કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (સુધારા) બિલ, 2024ને વિપક્ષને કારણે આંચકો લાગ્યો છે. આ બિલનો વિરોધ પક્ષો ભાજપ અને જેડીએસે આનો વિરોધ કર્યો હતો.

by Bipin Mewada
A big blow to the government's plan to impose tax on temples in Karnataka! Bill rejected in Legislative Council after BJP-JDS protest

News Continuous Bureau | Mumbai 

Karnataka: કર્ણાટકની કોંગ્રેસ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, કર્ણાટક સરકાર દ્વારા લાવવામાં આવેલ ‘હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (એમેન્ડમેન્ટ) બિલ’ વિધાન પરિષદ દ્વારા પસાર થઈ શક્યું નથી. વિરોધ પક્ષો ભાજપ  અને જેડીએસેઆનો વિરોધ કર્યો હતો. વિપક્ષ પાસે વિધાન પરિષદમાં ( Legislative Council ) બહુમતી છે, તેથી વિપક્ષના કારણે આ બિલ વિધાન પરિષદમાં પસાર થઈ શક્યું નથી. મંદિર બિલ ગયા અઠવાડિયે જ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું અને શુક્રવારે વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવ્યું હતું. 

જેમાં એવી ( Hindu Religious Institutions and Charitable Endowments (Amendment) Bill ) જોગવાઈ છે કે, રાજ્યના જે મંદિરોની વાર્ષિક આવક રૂ. 10 લાખથી રૂ. 1 કરોડ સુધીની છે. તેના પર પાંચ ટકા ટેક્સ લગાવવાની જોગવાઈ છે. જે મંદિરોની ( Hindu Mandir ) વાર્ષિક આવક 1 કરોડ રૂપિયાથી વધુ છે. તેના પર 10 ટકા ટેક્સ લગાવવાની જોગવાઈ છે. તેમજ મંદિરોની કમાણીમાંથી મળતું ભંડોળ એક સામાન્ય પૂલ ફંડમાં રાખવાની જોગવાઈ છે, જેનું સંચાલન રાજ્ય ધાર્મિક પરિષદ દ્વારા કરવામાં આવશે. બિલમાં કહેવામાં આવ્યું છે કે આ ભંડોળનો ઉપયોગ રાજ્યના મંદિરોના પૂજારીઓના કલ્યાણ માટે કરવામાં આવશે, જેમની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી છે.

 સરકાર મંદિરો પર ટેક્સ લગાવીને પોતાની ખાલી તિજોરી ભરવા માંગેઃ ભાજપ..

દરમિયાન, ભાજપ અને જેડીએસનો  ( JDS )  આરોપ છે કે સરકાર મંદિરો પર ટેક્સ લગાવીને પોતાની ખાલી તિજોરી ભરવા માંગે છે. વિપક્ષના મતે, સરકારે ઓછી કમાણી કરતા મંદિરના પૂજારીઓના કલ્યાણ માટે બજેટમાં અલગ ફંડની જોગવાઈ કરવી જોઈએ. તે જ સમયે, કોંગ્રેસ  ( Congress )  સરકારનું કહેવું છે કે, વર્ષ 2011માં ભાજપ ( BJP ) સરકાર પણ આવું જ એક બિલ લાવી હતી, જેમાં મંદિરોની 5 થી 10 લાખ અને 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર પાંચ ટકા ટેક્સ લગાવવાની જોગવાઈ હતી. 10 લાખથી વધુની કમાણી કરતા મંદિરો પર 10 ટકા ટેક્સ. તેથી સરકારની દલીલ છે કે વર્તમાન બિલમાં ઓછો ટેક્સ લાદવામાં આવ્યો છે. વર્તમાન બિલમાં એવી જોગવાઈઓ પણ છે કે સરકાર દ્વારા નિયંત્રિત મંદિરોની સમિતિના અધ્યક્ષ સરકાર નિયુક્ત કરશે. જેનો વિપક્ષે વિરોધ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election: લોકસભા ચૂંટણી પહેલા AAP-કોંગ્રેસ ડીલ થઈ ગઈ! હવે AAP કોંગ્રેસને ઈસ્ટને બદલે નોર્થ વેસ્ટ સીટ આપશે.

વિપક્ષના વિરોધ પર, સરકારના પ્રધાન રામલિંગા રેડ્ડીએ દાવો કર્યો હતો કે, સરકાર મંદિર સમિતિના અધ્યક્ષની નિમણૂકમાં દખલ નહીં કરે અને મંદિરોમાંથી એકત્ર કરાયેલા ટેક્સને ઘટાડવા પર પણ વિચાર કરશે. જોકે, વિપક્ષ આનાથી સંતુષ્ટ નહોતા અને બિલ પસાર થઈ શક્યું ન હતું.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More