News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ( Ahmedabad ) અને ગોરખપુર વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન ( Special train ) વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
Western Railway: ટ્રેન નંબર 09461 અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ (એક ફેરો)
ટ્રેન નંબર 09461 અમદાવાદ-ગોરખપુર ( Gorakhpur ) સ્પેશિયલ 9 જૂન, 2024 રવિવારના રોજ અમદાવાદથી 15.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21.00 કલાકે ગોરખપુર પહોંચશે.
આ સમાચાર પણ વાંચો: ECI : ECIએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને હિંસા મુક્ત મતદાન સમર્પિત કર્યું.
માર્ગમાં, આ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, નિશાતપુરા, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ, કાનપુર સેન્ટ્રલ, ઉન્નાવ, લખનૌ, બારાબંકી, ગોંડા, મનકાપુર અને બસ્તી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09461 નું બુકિંગ 07 જૂન 2024 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થયેલ છે. ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને ટ્રેનની સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.