Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો, ગોરખનાથ મંદિરનો હુમલાખોર આરોપી ઘરની છત પર જ કરતો હતો નિશાનેબાજીની પ્રેક્ટિસ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશમાં ગોરખનાથ મંદિરમાં જવાનો પર હુમલો કરનાર આરોપી મુર્તજા અબ્બાસીના ગળામાં બરોબરનો ગાળિયો સંકંજો કસાયો છે. એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ(એટીએસ) દ્વારા તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી છે. તપાસ દરમિયાન મુતર્જા તેના ઘરની છત પર નિશાનેબાજીની પ્રેક્ટિસ કરતો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.

Join Our WhatsApp Community

તપાસના મૂળિયા તેના જૌનપુર સ્થિત સાસરાના ઘર સુધી પહોંચી ગયા છે. એટીએસે તેની પત્નીની પણ પૂછતાછ કરી છે. પોલીસ મુર્તજાના ઘરની પણ ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં તેના ઘરમાંથી એરગન મળી હતી. છેલ્લા થોડા સમયથી તે પોતાના ઘરની ટેરેસ પર જ પ્રેકટીસ કરતો હોવાનું જણાયું છે.

આ સમાચાર પણ વાંચો : કાળઝાળ ગરમી વચ્ચે આ રાજ્યમાં પડ્યો વરસાદ, વીજ પુરવઠો પણ ખોરવાયો; જાણો વિગતે

મુર્તજા પર ગોરખનાથ મંદિરની બહાર તહેનાત સુરક્ષા જવાન પર હુમલો કરવાના બે કેસ નોંધાયા છે. પહેલો કેસ ગોરખનાથ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને હત્યાનો નોંધાયો છે. બીજો કેસ મંદિરની સુરક્ષામાં તહેનાત પોલીસે હુમલાને લઈને નોંધાવ્યો છે. પોલીસના કહેવા મુજબ તેના પાસેથી ત્રણ હથિયાર મળી આવ્યા હતા, જે લઈને તે મંદિરમાં ઘુસ્યો હતો. પોલીસે મંદિરના જવાનો પર હુમલાના કેસમાં અત્યાર સુધી પાંચ લોકોની ધરપકડ કરી છે.

 મુર્તજાના લગ્ન 2019માં થયા હતા. તેના આંતકવાદી સંગઠન સાથેના સંબંધને લઈને તેની પત્નીએ તેના હાથ ઉપર કરી દીધા હોવાનું કહેવાય છે. તો તેના પિતાએ તેના આંતકવાદી સંગઠન સાથેના સંબંધને ફગાવી દીધો હતો અને તેને માનસિક રોગી ગણાવ્યો હતો

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version