Site icon News Continuous Bureau | Mumbai

AIADMK-BJP Alliance: ભાજપને લોકસભા પહેલાં મોટો ઝટકો,આ પક્ષે ગઠબંધન તોડવાની કરી જાહેરાત, બેઠકમાં ઠરાવ પસાર થયો

AIADMK-BJP Alliance: AIADMK-BJP ગઠબંધન: AIADMK એ ભાજપના નેતૃત્વ હેઠળના NDA સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરતા કહ્યું કે અમારા નેતાઓ વિરુદ્ધ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.

AIADMK-BJP Alliance: AIADMK ends alliance with BJP, will lead separate front in 2024

AIADMK-BJP Alliance: AIADMK ends alliance with BJP, will lead separate front in 2024

News Continuous Bureau | Mumbai 

AIADMK-BJP Alliance: 2024 ની લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections ) પહેલા જ તમિલનાડુમાં ( Tamil Nadu ) ભાજપને ( BJP )  મોટો ઝટકો લાગ્યો છે. ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) એ આજે (25 સપ્ટેમ્બર) બીજેપીના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ ( National Democratic Alliance ) એટલે કે NDA સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. સાથે પાર્ટીએ આ અંગે ઠરાવ પસાર કર્યો છે.

Join Our WhatsApp Channel

AIADMK નેતાઓની બેઠક બાદ પાર્ટીના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ ( Deputy Coordinator KP Munusamy ) કહ્યું, AIADMK આજથી બીજેપી અને NDA સાથેના તમામ સંબંધો તોડી રહી છે. ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ AIADMK કાર્યકરોએ ફટાકડા ફોડ્યા હતા.

પાર્ટીએ કહ્યું, છેલ્લા એક વર્ષથી, બીજેપીનું રાજ્ય નેતૃત્વ સતત અમારા ભૂતપૂર્વ નેતાઓ, અમારા મહાસચિવ EPS (એદાપ્ડી પલાનીસ્વામી) અને અમારા કાર્યકર્તાઓ પર બિનજરૂરી ટિપ્પણીઓ કરી રહ્યું છે. આ ઠરાવ આજની બેઠકમાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો.

AIADMKએ શું કહ્યું?

મીડિયા રિપોર્ટ અનુસાર, AIADMKએ કહ્યું કે તે 2024ની લોકસભા ચૂંટણીમાં અલગ મોરચાનું નેતૃત્વ કરશે. વાસ્તવમાં અત્યારે દેશમાં બે મોટા ગઠબંધન છે. આમાં એક ભાજપની આગેવાની હેઠળનો એનડીએ છે અને બીજું I.N.D.I.A. છે, જે કોંગ્રેસ, ટીએમસી અને આમ આદમી પાર્ટી સહિત 28 પક્ષોનું વિપક્ષી ગઠબંધન છે.

જોકે હજુ પણ એવા ઘણા પક્ષો છે જે NDA અને ઇન્ડિયા બંનેનો ભાગ નથી. તેલંગાણાના સીએમ કેસીઆરની ભારત રાષ્ટ્ર સમિતિ, સાંસદ અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન, ઓડિશાના સીએમ નવીન પટનાયકની બીજુ જનતા દળ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીની વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી સહિત ઘણી પાર્ટીઓ છે.

આ સમાચાર પણ વાંચો : Kapil Dev: હાથ-મોં બાંધી, પકડીને લઈ ગયા.. શું કપિલ દેવનું થયું અપહરણ? ગૌતમ ગંભીરના ટ્વીટ બાદ ચાહકો પરેશાન, જાણો શું છે મામલો..

ભાજપે શું કહ્યું?

જ્યારે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈને AIADMK સાથે ગઠબંધન તોડવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ આ અંગે પછી નિવેદન આપશે. હું મુસાફરી દરમિયાન બોલતો નથી.

ગઠબંધન કેમ તૂટ્યું?

AIDMK પ્રતિનિધિમંડળે તાજેતરમાં દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, પાર્ટીએ બીજેપીના પ્રદેશ પ્રમુખ કે અન્નામલાઈ વતી માફી માંગવા માટે નેતૃત્વના હસ્તક્ષેપની માંગ કરી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, બીજેપીના રાજ્ય ઉપાધ્યક્ષ એમ ચક્રવર્તીએ કહ્યું, અમારા નેતૃત્વને અન્નામલાઈને હટાવવાનો વિચાર પસંદ નથી. કારણ કે તેઓ પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે અને તેનો શાનદાર રીતે વિસ્તરણ કરી રહ્યા છે. તેમણે રાજ્યમાં સનાતન ધર્મ વિવાદ દરમિયાન અન્નાદુરાઈ વિશે માત્ર ટિપ્પણી કરી હતી.

MahaTET Exam પેપર લીક બાદ હવે મહારાષ્ટ્ર TET પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય, IBPS ને સોંપાઈ જવાબદારી
Stray Dog રખડતા શ્વાનના આતંક પર મહારાષ્ટ્ર સરકાર ગંભીર નિયંત્રણ માટે કડક પગલાં અને નવા શેલ્ટરની કરી જાહેરાત
Global Energy Crisis મોટા મોટા દેશો ઓઈલ સંકટમાં ફસાયા, પણ ભારત નહીં; જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું PM મોદી
Bhutan rejects E20 fuel Bhutan rejects E20 fuel શું ભૂતાનને ભારતના E20 પેટ્રોલ પર વિશ્વાસ નથી? જાણો શા માટે ઠુકરાવ્યો પ્રસ્તાવ
Exit mobile version