તાજમહેલના દરવાજા ખોલાવવા માગતા લોકોને ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી અરજી, આપ્યું આ કારણ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તાજમહેલના(Taj mahal) 22 દરવાજા ખોલાવવાની માંગ કરનાર લોકોને અલ્હાબાદ હાઈકોર્ટે(Allahabad highcourt) મોટો ઝટકો આપ્યો છે.

અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે(Lucknow bench) બંધ દરવાજા ખોલાવવાની અરજદારોની માગ નકારી દીધી છે. 

સાથે કોર્ટે આકરો ઠપકો આપીને કહ્યું કે જનહિતની(Janhit) અરજીની પદ્ધતિનો દુરુપયોગ ન થવો જોઈએ. 

તેમણે એમ પણ કહ્યું હતું કે આવતીકાલે તમે આવીને કહેશો કે અમને માનનીય ન્યાયાધીશની(Judge) ચેમ્બરમાં(Chamber) જવાની છૂટ મળવી જોઈએ.

તમને જે વિષય અંગે ખબર ન હોય તેના પર સંશોધન કરો, જાઓ M.A કરો, PhD કરો. જો કોઈ સંસ્થા તમને રિસર્ચ(Research) ન કરવા દે તો અમારા પાસે આવજો. 

આ ઉપરાંત હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ આ અરજીની સુનાવણી ટાળશે નહીં.

આ સમાચાર પણ વાંચો  : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપી રાહત, કોર્ટે આ મામલે દખલ કરવાનો ઈનકાર કર્યો.. 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment