Amrit Bharat Station Scheme: ‘અમૃત સ્ટેશન યોજના’ હેઠળ હાથ ધરવામાં આવી દેવાસ જંકશન રેલ્વે સ્ટેશનની અપગ્રેડેશન કામગીરી, મુસાફરો માટે આપવામાં આવી આ સુવિધાઓ.

Amrit Bharat Station Scheme : અમૃત સ્ટેશન યોજના હેઠળ દેવાસ જંકશન રેલ્વે સ્ટેશનનું બદલાતું સ્વરૂપ

News Continuous Bureau | Mumbai

Amrit Bharat Station Scheme: ભારતીય રેલવે અંતર્ગત અમૃત સ્ટેશન યોજના રેલવે સ્ટેશનોના કાયાકલ્પ માટે વરદાન સાબિત થઈ રહી છે. રતલામ મંડળ ના હાલમાં 19 રેલવે સ્ટેશનો પર અમૃત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેશનોમાં 2 ગુજરાતમાં, 2 રાજસ્થાનમાં અને 15 રેલવે સ્ટેશન મધ્યપ્રદેશમાં આવેલા છે.અમૃત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન માટે દેવાસ જંક્સન રેલવે સ્ટેશન ( Dewas Junction Railway Station ) પણ સામેલ છે જ્યાં ઘણા મહત્વપૂર્ણ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. અને અમુક કામ ચાલુ છે.  

Join Our WhatsApp Community
Alteration of Dewas Junction Railway Station under Amrit Station Scheme

Alteration of Dewas Junction Railway Station under Amrit Station Scheme

 

દેવાસ રેલવે સ્ટેશન પર અંદાજે રૂ.29.67 કરોડના ખર્ચે અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુસાફરોની સુવિધા અને સ્ટેશન બિલ્ડીંગની સુંદરતા માટે કરવામાં આવેલ કામગીરીના ભાગરૂપે સર્ક્યુલેટિંગ એરિયા,સ્ટેશન બિલ્ડીંગનો રવેશ અને પ્રવેશદ્વાર પર મંડપ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન ( Railway Station ) બિલ્ડીંગનો રવેશ આધુનિક સ્ટેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે જેથી સ્ટેશન બિલ્ડિંગની ભવ્યતાને આકર્ષક બનાવી શકાય. આ સાથે, સ્ટેશન પરના વેઇટિંગ રૂમના ઇન્ટિરિયર માં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે જે આધુનિક સ્ટેશનના દૃશ્યને પ્રતિબિંબિત કરે છે. સૂર્યપ્રકાશ અને વરસાદથી રક્ષણ માટે પ્લેટફોર્મ પર વધારાના પ્લેટફોર્મ કવર શેડનું નિર્માણ, પ્લેટફોર્મ નંબર 1 ને પહોળો કરવા અને તેની સપાટીમાં સુધારો કરવાની સાથે મુસાફરોને બેસવા માટે વધારાની બેન્ચ અને પાણીના ફુવારા મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

પ્લેટફોર્મ પર નવા ટોયલેટ બ્લોક નું નિર્માણ અને પહેલાથી અસ્તિત્વમાં રહેલા ટોયલેટ બ્લોકને સુધારીને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યો છે. સ્ટેશન પરિસરમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર અને ઓટો માટે અલગ પાર્કિંગ તેમજ સ્ટેશન પરિસરમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ-અલગ માર્ગ નું નિર્માણ કરવામાં આવ્યું છે.

Alteration of Dewas Junction Railway Station under Amrit Station Scheme

ભારતીય રેલવે ( Indian Railways )  વિકલાંગોને સુવિધાઓ આપવા માટે કટિબદ્ધ છે, તેથી દેવાસ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર અલગ શૌચાલય,ઓછી ઉંચાઈવાળા પાણીના ફુવારા, સર્ક્યુલેટિંગ એરિયામાં દિવ્યાંગો માટે અલગ પાર્કિંગ, માર્ગદર્શક ટાઇલ્સ સાથે સ્ટાન્ડર્ડ રેમ્પ ની સુવિધા અને બુકિંગ વિન્ડો,પૂછપરછ અને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે માર્ગદર્શક ટાઇલ્સ લગાવવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Rashtriya Raksha University : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ‘પોલીસ સ્મૃતિ દિવસ’ પર પોલીસ શહીદોને કર્યા યાદ, તેમના પરિવારજનોનું કરવામાં આવ્યું સન્માન.

દેવાસ જંકશન રેલવે સ્ટેશન ( Amrit Bharat Station Scheme ) પર ઉપલબ્ધ કરવામાં આવી રહેલી મહત્વપૂર્ણ  પેસેન્જર સુવિધાઓ માં 12 મીટર પહોળા ફુટ ઓવર બ્રિજનું કામ પણ ખૂબ મહત્વનું છે જેમાં લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ થશે.આ કામ પણ ચાલુ છે.

દેવાસ રેલવે સ્ટેશન એ રતલામ મંડળ ના ઈન્દોર-ઉજ્જૈન ડબલીંગ  રેલવે ખંડ પર સ્થિત એક મહત્વપૂર્ણ સ્ટેશન છે. આ સ્ટેશન તેના બેંક નોટ પ્રેસ માટે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. દેવાસ સ્ટેશનથી થોડે દૂર સ્થિત ચામુંડા માતાનું મંદિર દેવાસ અને આસપાસના વિસ્તારોના લોકો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. દેવાસ રેલવે સ્ટેશન નું અપગ્રેડેશન કાર્ય પૂર્ણ થયા બાદ આધુનિક, આકર્ષક અને અપડેટ પેસેન્જર સુવિધાઓ સાથે નવા ભારતના નવા સ્ટેશન તરીકે તેની ઓળખ બનાવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version