Alwar Goods Train Accident : દેશમાં ટ્રેન અકસ્માતોનો સિલસિલો ચાલુ; રાજસ્થાનમાં માલગાડીના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, રેલ ટ્રાફિક પ્રભાવિત.. જાણો વિગતે..

Alwar Goods Train Accident : દેશમાં ટ્રેન અકસ્માતોનો સિલસિલો ચાલુ છે. ઉત્તર પ્રદેશના ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના 3 એસી સહિત 15 ડબ્બા પાટા પરથી ઉતર્યા બાદ હવે રાજસ્થાનના અલવર પાસે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. અલવર રેલ્વે સ્ટેશનથી રેવાડી તરફ જતી માલગાડીના 3 ડબ્બા પાટા પરથી ઉતરી જવાથી મથુરા-અલવર રૂટ પરનો રેલ્વે વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

by Hiral Meria
Alwar Goods Train Accident Train accidents continue in the country; 3 coaches derailed in Rajasthan, rail traffic affected.

 News Continuous Bureau | Mumbai

Alwar Goods Train Accident : રાજસ્થાનના અલવરમાં શનિવારે મોડી રાત્રે ટ્રેન અકસ્માત ( Train Accident )  થયો હતો. અલવરથી રેવાડી જતી માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે આ માર્ગ પરનો રેલ વ્યવહાર ખોરવાયો હતો. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ રેલ્વે પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ટ્રેકના સમારકામનું કામ હાથ ધરાયુ હતું.  

મળતી માહિતી મુજબ, અલવરમાં ( Rajasthan Alwar  ) શનિવારે મોડી રાત્રે એક માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ( Train Derailed ) જતાં ભરી રેલવે અકસ્માતનો સીલસીલો ચાલુ જ છે. ઘટનાની માહિતી મળતાં જ રેલવે પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને રેલવે માર્ગનું સમારકામ શરૂ કર્યું હતું. આ અકસ્માત ( Railway Accident ) રાત્રે 2.30 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. માલગાડી અલવરથી રેવાડી માટે રવાના થઈ હતી, પરંતુ અલવરની બાબુ શોભારામ કોલેજ પાસે પહોંચતા જ માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. રેલ્વે પ્રશાસન દ્વારા પાટા પરથી કોચ હટાવવાની કામગીરી રાતથી જ કરવામાં આવી રહી છે. 

Alwar Goods Train Accident : ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે…

રેલવેના એડીઆરએમએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાત્રે 2.30 વાગ્યે એક માલગાડી અલવરથી રેવાડી જઈ રહી હતી ત્યારે અલવરના તિજારા પુલિયા પાસે તેના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ બાદ અલવર-મથુરા રૂટ થોડા સમય માટે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો, પરંતુ હવે રસ્તો સાફ થઈ ગયો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ સમાચાર પણ વાંચો  : Jharkhand: ઝારખંડમાં 10 વિધાનસભા મતવિસ્તારમાં 100 ટકાથી વધુ મુસ્લિમ મતદાન થયું હતુંઃ રિપોર્ટ… જાણો વિગતે.

હાલમાં રેલવે પ્રશાસન જેસીબીની મદદથી ત્રણેય કોચ ( Train Coach ) હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હોવાની માહિતી મળતાની સાથે જ સેંકડો લોકોની ભીડ સ્થળ પર એકઠી થઈ ગઈ હતી. તે જ સમયે, રેલવે મેનેજમેન્ટ દ્વારા લોકોને ટ્રેકથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી રહી છે. 

નોંધનીય છે કે આ પહેલા શનિવારે સાંજે ઉત્તર પ્રદેશના અમરોહા રેલવે સ્ટેશન પાસે એક માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી. ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More