News Continuous Bureau | Mumbai
- ટૂંક સમયમાં, PACS એરલાઇન ટિકિટ પણ વેચી શકશે.
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરના ખેડૂતો અને ગ્રામીણ ક્ષેત્રના હિતમાં સહકાર મંત્રાલયની રચના કરીને ‘સહકાર સે સમૃદ્ધિ’નો મંત્ર આપ્યો
- “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટીની રચના માટેનું બિલ ટૂંક સમયમાં સંસદમાં પસાર થશે
- યુનિવર્સિટીની રચના પછી, સહકારી ક્ષેત્રમાં આવતા વ્યાવસાયિકો એકાઉન્ટિંગ અને વહીવટ સંબંધિત ટેકનિકલ શિક્ષણ, માહિતી અને તાલીમ મેળવી શકશે
આ બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોના કલ્યાણ માટે અલગ સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી અને “સહકાર સે સમૃદ્ધિ”નો મંત્ર આપ્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો કે મોદી સરકાર માને છે કે ગ્રામીણ વિસ્તારોની રોજગાર નિર્માણ અને સમૃદ્ધિ બંને સહકાર દ્વારા શક્ય છે.
આ સમાચાર પણ વાંચો: India retail inflation: મોંઘવારીમાંથી જનતાને મોટી રાહત; જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટ્યો, જાણો આંકડા..

Amit Shah: શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આઝાદી પછી થોડાં વર્ષો સુધી દેશમાં સહકારી આંદોલન મજબૂત રહ્યું હતું, પણ પછી મોટા ભાગનાં રાજ્યોમાં તે નબળું પડ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, કેન્દ્રમાં સહકાર મંત્રાલયની રચના થયા પછી પ્રથમ કામગીરી રાજ્યો સાથે જોડાણમાં પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (PACS)નો ડેટાબેઝ તૈયાર કરવાનો અને બે લાખ PACSની નોંધણીની પ્રક્રિયા શરૂ કરવાની હતી. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝ વિકસાવવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને હવે સમગ્ર દેશમાં સહકારી મંડળીઓ વિશેની માહિતી, જે ક્ષેત્ર દ્વારા વર્ગીકૃત કરવામાં આવી છે, તે એક ક્લિક પર ઉપલબ્ધ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, PACSનાં કોમ્પ્યુટરાઇઝેશન માટે વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી સમયમાં દેશમાં એક પણ એવી પંચાયત નહીં હોય કે જ્યાં PACS ઉપલબ્ધ ન હોય.

Amit Shah: કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, PACSને ‘વ્યવહારુ’ બનાવવા માટે રચાયેલા મોડેલ પેટાકાયદાઓને દેશના લગભગ તમામ રાજ્યોએ અપનાવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, PACSને 20થી વધારે પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવી છે અને હવે તેમણે સામાન્ય સેવા કેન્દ્રો, જન ઔષધિ કેન્દ્રો અને અન્ય સેવાઓ જેવી સેવાઓ પ્રદાન કરવાનું શરૂ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો: Abhijit Mukherjee: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જી ની થઇ ઘર વાપસી, આખરે ચાર વર્ષ બાદ કોંગ્રેસમાં જોડાયા..

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સહકાર મંત્રાલયે “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટે ખરડો રજૂ કર્યો છે, જેને સંસદમાં ટૂંક સમયમાં પસાર કરવામાં આવશે. આ યુનિવર્સિટીની સ્થાપનાથી ટેકનિકલ શિક્ષણ, એકાઉન્ટિંગ, વહીવટી જ્ઞાન અને સહકારી ક્ષેત્રમાં પ્રવેશ કરતા વ્યાવસાયિકોને તાલીમ મળશે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, તેનાથી સહકારી ક્ષેત્રમાં પ્રશિક્ષિત માનવબળની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.
Amit Shah: કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ (એનસીએએલ), નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ (એનસીએલ) અને ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (બીબીએસએસએલ) જેવી રાષ્ટ્રીય સ્તરની સહકારી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે, જે સહકારી ક્ષેત્રમાં નિકાસ, ઓર્ગેનિક ઉત્પાદનો અને અદ્યતન બિયારણોને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ પહેલો આગામી વર્ષોમાં સહકારી ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફારો તરફ દોરી જશે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સરકારનો પ્રયાસ છે કે, સહકારી ક્ષેત્રને પણ કોર્પોરેટ ક્ષેત્રની જેમ જ તકો મળે. તેમણે કહ્યું કે સહકાર મંત્રાલયે નાણાં મંત્રાલય, રિઝર્વ બેંક અને આવકવેરા વિભાગના સહયોગથી કોર્પોરેટ અને સહકારી ક્ષેત્રો માટે એક કર માળખું બનાવવા માટે પગલાં લીધાં છે. સહકારિતા મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દેશનાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા સાહસો કોર્પોરેટ જગત સાથે સ્પર્ધામાં પ્રગતિ કરશે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં “સહકાર સે સમૃદ્ધિ”નાં વિઝનને સાકાર કરશે.
આ સમાચાર પણ વાંચો: Pariksha Pe Charcha 2025: પરીક્ષા દરમિયાન ગેજેટ્સની ભૂમિકા… વિદ્યાર્થીઓમાં વધુ સ્ક્રીન ટાઇમ.. આવતીકાલે રિલીઝ થશે પરીક્ષા પે ચર્ચાનો ત્રીજો એપિસોડ..
Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ પરામર્શ સમિતિને માહિતી આપી હતી કે, કૃષિ ભારતી કોઓપરેટિવ લિમિટેડ (ક્રિભકો), ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (ઇફ્કો), નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) અને અન્ય ફેડરેશનોના સહયોગથી સહકાર સાથે સંકળાયેલા રાષ્ટ્રીય ફેડરેશનોના ઝડપી વિકાસ માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અત્યારે PACS રેલવે ટિકિટોનાં બુકિંગમાં સામેલ છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સહકાર મંત્રાલયની પહેલોને કારણે PACS ટૂંક સમયમાં એરલાઇન્સની ટિકિટોનું પણ વેચાણ કરી શકશે.
ગુજરાતનાં સહકારી મોડલનો ઉલ્લેખ કરીને શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓએ વાર્ષિક 7.5 લાખ કરોડની આવક મેળવી છે, જે પોતાનામાં જ એક સિદ્ધિ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ મહિલાઓમાં એક મહિલા એવી હતી, જેનું ઔપચારિક શિક્ષણ ચોથા ધોરણ સુધી જ હતું, છતાં તેમણે 1.16 કરોડનો નફો કર્યો હતો, જે મહિલા સશક્તિકરણનું મહત્ત્વપૂર્ણ ઉદાહરણ પૂરું પાડે છે.

Amit Shah: શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશમાં સહકારી મંડળીઓનાં વિકાસમાં પ્રાદેશિક અસમાનતાને ધ્યાનમાં રાખીને સરકાર તમામ રાજ્યોમાં એકસમાન સંતુલિત વિકાસ લાવવા વિશેષ પગલાં લઈ રહી છે.
આ બેઠકમાં સમિતિના સભ્યોએ દેશમાં સહકારી મંડળીઓને સશક્ત બનાવવા સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાના સૂચનો આપ્યા હતા અને દેશમાં સહકારી આંદોલનને મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાઓની પ્રશંસા કરી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed