Site icon News Continuous Bureau | Mumbai

આસારામ બાપુને જોધપુર હાઈકોર્ટમાંથી મળ્યા જામીન, છતાં રહેશે જેલમાં જ, જાણો શું છે કારણ…

Asaram completes ten years in jail... his condition worsened due to not getting bail

Asaram completes ten years in jail... his condition worsened due to not getting bail

News Continuous Bureau | Mumbai

રેપ કેસમાં જોધપુર જેલમાં બંધ આસારામને થોડી રાહત મળી છે. એક કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે. જો કે, બળાત્કારના કેસમાં દોષિત ઠરવાથી તેમને જેલમાંથી છોડવામાં આવશે નહીં. જાણો સમગ્ર મામલો

Join Our WhatsApp Channel

આસારામ અને અન્ય એક વિરુદ્ધ આરોપ હતો કે તેઓએ સુપ્રીમ કોર્ટમાં ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ કેસમાં આસારામ સહઆરોપી હતા. મુખ્ય આરોપી રવિને જામીન મળી ચૂક્યા છે.

રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટિસ કુલદીપ માથુરની બેંચે આસારામને જામીન આપ્યા છે. આ સુનાવણી દરમિયાન આસારામ વતી નીલકમલ બોહરા અને ગોકુલેશ બોહરાએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જોકે અન્ય કેસોમાં સજાને કારણે આસારામ હવે બહાર આવી શકશે નહીં.

આ સમાચાર પણ વાંચો:   આ 4 જીવલેણ બીમારીઓ આંખોને જોઈને પણ પકડી શકાય છે… આજે જ તપાસ કરાવો

કોણ છે આસારામ બાપુ

આસારામ બાપુ જે કથાકાર હતા, તેમનું સાચું નામ આસુમલ સિરુમલાણી હરપલાની છે. તેને તેની વિદ્યાર્થિની પર બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો છે. આસારામ સામે આ પહેલી સજા નથી. વર્ષ 2013માં સગીર બાળકી પર બળાત્કાર ગુજારવા બદલ તે જોધપુરની જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે.

ગાંધીનગરની સેશન્સ કોર્ટે 81 વર્ષીય આસારામને બળાત્કાર, ગુનાહિત ધાકધમકી અને ખોટી રીતે ગોંધી રાખવા બદલ આજીવન કેદની સજા ફટકારી હતી. સુરત સ્થિત પૂર્વ શિષ્યાએ આસારામ પર અમદાવાદના મોટેરા સ્થિત તેમના આશ્રમમાં વારંવાર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો.

Thane Gymkhana Death થાણેના જીમખાનામાં ૨૩ વર્ષીય યુવકનું ગોળી વાગવાથી રહસ્યમય મોત, આત્મહત્યાની આશંકાએ પોલીસ તપાસ શરૂ
Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Exit mobile version