Site icon News Continuous Bureau | Mumbai

આસારામ બાપુને જોધપુર હાઈકોર્ટમાંથી મળ્યા જામીન, છતાં રહેશે જેલમાં જ, જાણો શું છે કારણ…

Asaram completes ten years in jail... his condition worsened due to not getting bail

Asaram completes ten years in jail... his condition worsened due to not getting bail

News Continuous Bureau | Mumbai

રેપ કેસમાં જોધપુર જેલમાં બંધ આસારામને થોડી રાહત મળી છે. એક કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે. જો કે, બળાત્કારના કેસમાં દોષિત ઠરવાથી તેમને જેલમાંથી છોડવામાં આવશે નહીં. જાણો સમગ્ર મામલો

Join Our WhatsApp Channel

આસારામ અને અન્ય એક વિરુદ્ધ આરોપ હતો કે તેઓએ સુપ્રીમ કોર્ટમાં ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ કેસમાં આસારામ સહઆરોપી હતા. મુખ્ય આરોપી રવિને જામીન મળી ચૂક્યા છે.

રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટિસ કુલદીપ માથુરની બેંચે આસારામને જામીન આપ્યા છે. આ સુનાવણી દરમિયાન આસારામ વતી નીલકમલ બોહરા અને ગોકુલેશ બોહરાએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જોકે અન્ય કેસોમાં સજાને કારણે આસારામ હવે બહાર આવી શકશે નહીં.

આ સમાચાર પણ વાંચો:   આ 4 જીવલેણ બીમારીઓ આંખોને જોઈને પણ પકડી શકાય છે… આજે જ તપાસ કરાવો

કોણ છે આસારામ બાપુ

આસારામ બાપુ જે કથાકાર હતા, તેમનું સાચું નામ આસુમલ સિરુમલાણી હરપલાની છે. તેને તેની વિદ્યાર્થિની પર બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો છે. આસારામ સામે આ પહેલી સજા નથી. વર્ષ 2013માં સગીર બાળકી પર બળાત્કાર ગુજારવા બદલ તે જોધપુરની જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે.

ગાંધીનગરની સેશન્સ કોર્ટે 81 વર્ષીય આસારામને બળાત્કાર, ગુનાહિત ધાકધમકી અને ખોટી રીતે ગોંધી રાખવા બદલ આજીવન કેદની સજા ફટકારી હતી. સુરત સ્થિત પૂર્વ શિષ્યાએ આસારામ પર અમદાવાદના મોટેરા સ્થિત તેમના આશ્રમમાં વારંવાર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો.

Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
Kalyan Durgadi Fort| કલ્યાણના દુર્ગાડી કિલ્લા પર હાઈવોલ્ટેજ ડ્રામા! નમાઝ પઢવા મુદ્દે ભારે હોબાળો, વિરોધમાં શિવસેના અને ભાજપ આમનેસામને
BMC Land Deal। શિંદે જૂથના પ્લાન પર આદિત્ય ઠાકરેએ ફેરવ્યું પાણી, દેવેન્દ્ર ફડણવીસ સાથે ગુપ્ત વાતચીત લીક
Nautapa Weather Update। મહારાષ્ટ્રમાં ‘નવતપા’ શરૂ થતાં જ પારો ૪૭ ડિગ્રીને પાર, હવામાન વિભાગની કડક ચેતવણી
Exit mobile version