Ayushman Bharat: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ભારત સરકારના રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને ઓડિશા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વચ્ચે થયેલા એમઓયુ માટે ઓડિશાના લોકોને અભિનંદન આપ્યા છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે ખાસ કરીને ઓડિશાના નારી શક્તિ અને વૃદ્ધોને આ યોજના સસ્તા દરે ઉચ્ચતમ ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરશે.
આ સમાચાર પણ વાંચો: Mahakumbh 2025 Amrit Snan: મકર સંક્રાંતિ પર આજે અખાડાઓનું પ્રથમ અમૃત સ્નાન, ડૂબકી માટે ત્રિવેણી સંગમના કિનારે શ્રદ્ધાળુઓનું પૂર ઉમટી પડ્યું
ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી દ્વારા X પર લખેલી પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યુ:
“ઓડિશાના લોકોને અભિનંદન!
તે ખરેખર એક કરુણતા હતી કે ઓડિશાના મારા ભાઈઓ અને બહેનોને પાછલી સરકાર દ્વારા આયુષ્માન ભારતના લાભોથી વંચિત રાખવામાં આવ્યા હતા. આ યોજના સસ્તા દરે ઉચ્ચતમ ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરશે. તે ખાસ કરીને ઓડિશાની નારી શક્તિ અને વૃદ્ધોને લાભ આપશે.”
Congratulations to the people of Odisha!
It was indeed a travesty that my sisters and brothers of Odisha were denied the benefits of Ayushman Bharat by the previous Government. This scheme will ensure the highest-quality healthcare at affordable rates. It will particularly… https://t.co/YzOk59LLNS
— Narendra Modi (@narendramodi) January 13, 2025
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.