Site icon News Continuous Bureau | Mumbai

Bengaluru Stampede :11 લોકોના મોત માટે કોણ જવાબદાર? RCB, BCCI અને કર્ણાટક સરકાર… બધાએ હાથ ઊંચા કર્યા, હવે હાઈકોર્ટ આવ્યું એક્શનમાં..

Bengaluru Stampede :કર્ણાટક હાઈકોર્ટે બેંગલુરુ ભાગદોડ કેસનું સ્વતઃ સંજ્ઞાન લીધું છે. આ કેસની સુનાવણી આજે બપોરે 2:30 વાગ્યે થશે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે આ પગલું ભર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીતની ઉજવણી કરવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા ત્યારે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા.

Bengaluru Stampede Karnataka HC seeks report on stampede during RCB victory celebrations in Bengaluru

Bengaluru Stampede Karnataka HC seeks report on stampede during RCB victory celebrations in Bengaluru

News Continuous Bureau | Mumbai

Bengaluru Stampede :  RCBની જીતની ઉજવણી દરમિયાન બેંગલુરુમાં થયેલી નાસભાગ માં 11 લોકોના મોત થયા. આ સમગ્ર મામલામાં, RCB (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર), BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ) અને કર્ણાટક સરકારે તેનાથી હાથ ઊંચા કરી લીધા. પરંતુ હવે કર્ણાટક હાઈકોર્ટે આ મામલે કાર્યવાહી કરી છે. કોર્ટે આ દુ:ખદ ઘટનાનું સ્વતઃ સંજ્ઞાન લીધું છે અને આજે  બપોરે સુનાવણીનું આયોજન કર્યું છે.

Join Our WhatsApp Channel

Bengaluru Stampede :

 કર્ણાટક હાઈકોર્ટ ગુરુવારે (5 જૂન) આરસીબીની વિજય પરેડ દરમિયાન થયેલી ભાગદોડ સંબંધિત કેસની સુનાવણી કરશે. આ મામલો કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વી. કામેશ્વર રાવ અને ન્યાયાધીશ સીએમ જોશીની બેન્ચ સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે. સરકારે કોર્ટને આ ઘટના કેવી રીતે બની અને અત્યાર સુધી કયા પગલાં લેવામાં આવ્યા છે તેની માહિતી આપવા સંમતિ આપી છે. આ કેસની સુનાવણી બપોરે 2:30 વાગ્યે થશે. કર્ણાટક સરકાર આજે બપોરે 2:30 વાગ્યે હાઈકોર્ટને જણાવે તેવી અપેક્ષા છે કે નાસભાગ માં શું થયું અને તેણે શું કાર્યવાહી કરી.

આ સમાચાર પણ વાંચો : RCB Victory Parade: આરસીબીની વિક્ટરી પરેડ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર મચી નાસભાગ, આટલા લોકોના મોત,સેંકડો ઘાયલ..

 Bengaluru Stampede :RCB ના ઉજવણીની ઉતાવળ શું હતી, મંત્રીએ જવાબ આપ્યો

આ સમગ્ર મામલે, જ્યારે અમે કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરને પૂછ્યું કે આરસીબીના ઉજવણીમાં આટલી ઉતાવળ શું હતી, તો તેમણે કહ્યું – આ (સ્ટેડિયમમાં વિજય પરેડ અને ઉજવણી) અમારા તરફથી નહોતી. અમે RCB કે KSCA (કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન) ને ઉજવણી માટે કોઈ વિનંતી કરી ન હતી… તેઓએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અમને લાગ્યું કે સરકારે ટીમનું સન્માન કરવું જોઈએ કારણ કે તે બેંગલુરુની ટીમ હતી, તેથી અમે વિચાર્યું કે આપણે પણ ઉજવણીનો ભાગ બનવું જોઈએ… બસ એટલું જ. અમે કહ્યું નહોતું કે અમે આ કાર્યક્રમનું આયોજન કરીશું, પરંતુ RCB અને KSCA પોતે ટીમને ઉજવણી માટે બેંગ્લોર લાવ્યા હતા…

 

 

Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં હાહાકાર: અચાનક આવેલી મંદીથી રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં ક્યાંથી આવ્યો મોટો ઘટાડો?
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
RBI Scheme Rupee Surge આરબીઆઈની આ યોજનાથી રૂપિયામાં તુફાની છલાંગ, ડોલર સામે જોવા મળી 47 પૈસાની શાનદાર રિકવરી
Gold Silver Price Surge સોનું 1,54,000 ને પાર અને ચાંદી 2,40,000 ના સ્તરની નજીક, વાયદા બજારમાં અચાનક તેજી પાછળના મુખ્ય કારણો
Exit mobile version