Site icon News Continuous Bureau | Mumbai

ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી વોર્નીગ લેવલે.. 20 ગામોને એલર્ટ કરાયાં.. વાંચો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

23 સપ્ટેમ્બર 2020

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીનો મોટો જથ્થો નર્મદા નદીમાં આવતા 20 દિવસમાં જ ત્રીજીવાર નદીમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 28.40 ફૂટે પહોંચી ગઈ છે. હાલ ભરૂચ પાસે નર્મદા નદી તેની ભયજનક સપાટી 25 ફૂટથી 4 ફૂટ ઉપર વહી રહી છે. જેને કારણે નદી કાંઠાના 20 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. 

નર્મદા નદીએ ભયજનક સપાટી ક્રોસ કરતા ભરૂચ સિટી, અંકલેશ્વર અને ઝઘડિયાના 20 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. આ એલર્ટને પગલે તંત્ર સ્ટેન્ડબાય પરિસ્થિતિમાં આવી ગયું છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમમાંથી 2.35 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમની સપાટી ફરી વધી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પ્રતિ સેકંડે 49.22 લાખ લિટર (1.75 લાખ ક્યુસેક) પાણી નર્મદા નદીમાં ઠલવાય છે. નર્મદા ડેમના બુધવારે 23 દરવાજા ખોલી 4 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેવાં સમયે સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા ચાર જિલ્લાના 52 ગામોને એલર્ટ કરી દેવાયા છે. કિનારાના ઝૂંપડાવાસીઓને ખસેડવાની કવાયત થઈ રહી છે. આમ તો નદીની સપાટી 28 ફૂટે પહોંચે ત્યારે જ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી પ્રવેશે. હાલના તબક્કે શહેરમાં કોઇ ચિંતાજનક બાબત નથી, એમ પ્રશાસને જણાવ્યું છે..

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version