News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની(Legislative Council in Maharashtra) 10 બેઠકો માટેની ચૂંટણી(Election) માટે ભાજપે(BJP) તેના 5 ઉમેદવારોના(Candidates) નામની જાહેરાત કરી છે, તેમાં આ ફરી એક વખત ભાજપના ઓબીસી મહિલા નેતા(OBC Women Leader) પંકજા મુંડેનું(Pankaja Munde) પત્તુ કપાઈ ગયું છે. તેથી મુંડેના સમર્થકોમાં નારાજગી વ્યાપી ગઈ છે.
ભાજપે બુધવારે જાહેર કરેલી યાદીમાં પ્રવીણ દરેકર(Praveen Darekar), પ્રસાદ લાડ(Prasad Lad), રામ શિંદે(Ram Shinde), શ્રીકાંત ભારતીય, ઉમા ગિરીશ ખાપરેને નામનો સમાવેશ કર્યો છે. તો, બીજેપી નેતા પંકજા મુંડેને ફરી એકવાર હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં 10 વિધાન પરિષદની બેઠકો માટે 20 જૂને ચૂંટણી યોજાવાની છે. બે જૂને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તે પછી, 9 જૂનથી ઉમેદવારી અરજીઓ દાખલ કરી શકાશે. વિધાનસભાના સંખ્યાબળ મુજબ ભાજપ પાસે ચાર, એનસીપી(NCP) અને શિવસેના(Shivsena) પાસે બે-બે, કોંગ્રેસને(Congress) ફાળે એક બેઠક છે, તો દસમી બેઠક માટે ભાજપ અને મહા વિકાસ આઘાડી(Mahavikas Aghadi) વચ્ચે જોરદાર ટક્કર છે.
આ સમાચાર પણ વાંચો : કોરોનાએ વધાર્યું ટેન્શન- મહારાષ્ટ્રની ટાસ્ક ફોર્સે માસ્કને લઈને કહી દીધી આ મોટી વાત-જાણો વિગત,
ભાજપના પ્રદેશ અધ્યક્ષ(BJP state president) ચંદ્રકાંત પાટીલે(Chandrakant Patil) જણાવ્યું હતું કે પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયે આજે પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાંચેય ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે. પાટીલે એમ પણ કહ્યું કે પંકજા મુંડેની ઉમેદવારી માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. વિધાન પરિષદની પાંચમી બેઠક અમે જીતીશું તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
ભાજપે વિધાન પરિષદ માટે પ્રવીણ દરેકર, પ્રસાદ લાડ અને રામ શિંદેને તક આપી છે. રામ શિંદે અગાઉ કર્જત-જામખેડના ધારાસભ્ય અને ફડણવીસના શાસનમાં મંત્રી હતા. 2019ની વિધાનસભા ચૂંટણીમાં(Assembly elections) તેઓ એનસીપીના રોહિત પવાર સામે હાર્યા હતા. વિધાન પરિષદમાં પ્રવીણ દરેકર અને પ્રસાદ લાડનો કાર્યકાળ આ વર્ષે પૂરો થયો. ભાજપે તેમને ફરી એકવાર તક આપી છે. પ્રસાદ લાડ ભાજપના પાંચમા ઉમેદવાર હશે.
ભાજપે પંકજા મુંડેની સાથે જ પોતાના સાથી પક્ષોની પણ અવગણના કરવામાં આવી છે. ભાજપ વિધાન પરિષદ માટે સદાભાઈ ખોતના નામની ચર્ચા કરી રહી હતી. જોકે તેને પણ ઉમેદવારી આપવામાં આવી નથી.
પ્રવીણ દરેકર, પ્રસાદ લાડ, સુજીત સિંહ ઠાકુર, વિનાયક મેટે, સદાભાઉ ખોત અને ભાજપના દિવંગત નેતા આરએસ સિંહ વિધાન પરિષદમાં છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય દિવાકર રાવતે, મંત્રી સુભાષ દેસાઈ નિવૃત્ત થવાના છે. એનસીપી માંથી રામરાજે નિંબાલકર અને સંજય દાઉન્ડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર HSC પરિણામ 94-22 ટકા- ફરી એક વખત છોકરાઓને પછાડીને છોકરીઓ અવ્વલ તો મુંબઈ રહ્યું આ નંબર પર- જાણો વિગત