હવે ભાજપે પણ ભગતસિંહ કોશ્યારીના નિવેદન થી છેડો ફાડ્યો- આશિષ શેલારે કહ્યું કે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી(Bhagat Singh Koshyari)એ તાજેતરમાં ગુજરાતી(Gujarati) અને રાજસ્થાની(Rajasthani) લોકો વિશે આપેલા એક નિવેદનથી હાલ રાજકીય વાતાવરણ ગરમાયું છે. રાજ્યપાલના નિવેદનની વિપક્ષ દ્વારા તેમની નિંદા કરવામાં આવી રહી છે. 

વાત જાણે એમ છે કે ભગતસિંહ કોશ્યારીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે  મહારાષ્ટ્ર(Maharashtra), ખાસ કરીને મુંબઈ અને થાણે(Thane)માંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને દૂર કરવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં, હાલમાં મુંબઈ(mumbai) દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે, પરંતુ જો આ સમુદાયને દૂર કરવામાં આવશે તો મુંબઈની ઓળખ ભૂંસાઈ જશે. 

આ સમાચાર પણ વાંચો : રાજ ઠાકરે ભડક્યા-કહ્યું જે વિશે ભાન ન પડતી હોય તે વિશે

રાજ્યપાલના આ નિવેદનની હવે રાજ્યભરમાં નિંદા થઈ રહી છે. ત્યારે ભાજપ નેતા આશિષ શેલારે(Ashish Shelar) પણ રાજ્યપાલના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી છે. 

 

તેમણે રાજ્યપાલના નિવેદનથી છેડો ફાડતા કહ્યું છે કે અમે રાજ્યપાલના નિવેદન સાથે બિલકુલ સહમત નથી. મહારાષ્ટ્ર અને મુંબઈ મરાઠી લોકોની મહેનત, પરસેવો અને શહાદત સાથે ઊભા છે. આપણો ભવ્ય ઈતિહાસ પણ આ જ કહે છે. 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More