News Continuous Bureau | Mumbai
મહાવિકાસ આઘાડીની સરકાર(MVA govt) તૂટયા બાદ શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Shivsena Chief Uddhav Thackeray) અને શિંદે ગ્રુપ(Shinde gruop) તથા ભાજપ(BJP) એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવાનું ચાલુ જ રાખ્યું છે. એમા હવે ભાજપે હવે ઉદ્ધવ પર વળતો પ્રહાર કરતા કહ્યું છે કે બાળ ઠાકરે(Bal Thackeray)નું નામ તમારા સિવાય કોઈ વાપરી શકતું ના હોય તો બાળ ઠાકરેના મેમોરિયલ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ શા માટે કરો છો?
શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરી ભાજપના સમર્થનથી બળવાખોર નેતા એકનાથ શિંદે(Eknath Shinde) મુખ્ય પ્રધાન બની ગયા છે અને શિવસેના પક્ષ પર પોતાનો દાવો કરી રહ્યા છે. તેની સામે ઉદ્ધવ ઠાકરેએ તેમને બાળ ઠાકરેનું નામ નહીં વાપરતા પોતાના મા-બાપના નામ પર વોટ માંગવા કહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : થઈ જાઓ વિમાન યાત્રા માટે તૈયાર- આ એરલાઈન્સ એક સીટ સિલેક્શન અને ભોજન મફત આપી રહી છે
ભાજપના નેતા અને ધારાસભ્ય વિધાનસભ્ય અતુલ ભાતખાલકરે(MLA Atul Bhatkhalkar) ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતાકહ્યું હતું કે તમે કહો છો કે મારા પિતાના નામનો ઉપયોગ ન કરો, તો તમારા પૈસાથી મેયર બંગલામાં 500 કરોડનું સ્મારક(Statue) બનાવો. સામાન્ય નાગરિકોએ ભરેલા ટેક્સવેરાની રકમનો શા માટે મેમોરિયલ બાંધવા ખર્ચ કરો છો.
ઉદ્ધવ ઠાકરેએ સામનાને આપેલા ઈન્ટરવ્યુમાં શિંદે ગ્રુપને કહ્યું હતું કે, મારા પિતાના નામનો ફરી ઉપયોગ કરશો નહીં. અતુલ ભાતખાલકરે આના પર પ્રહારો કર્યા છે. એક ટ્વિટમાં, તેમણે ઉદ્ધવ ઠાકરેના વાક્ય "મારા પિતાના નામનો ઉપયોગ કરશો નહીં" લીધો અને ઉમેર્યું કે પછી તમારા પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને મેયરના બંગલામાં 500 કરોડનું બાળાસાહેબ સ્મારક બનાવો.