બીએમસીની 20% ને બદલે 10% પાણી કાપની જાહેરાત.. જાણો ક્યારે હટશે સંપૂર્ણ પાણી કાપ…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

20 ઓગસ્ટ 2020 

મુંબઇગરાઓ માટે પાણી કાપને લઈ ને થોડાં રાહતનાં સમાચાર આવ્યા છે. બૃહદ્દમુબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ જાહેરાત કરી છે કે શુક્રવારથી 20 % પાણી કાપ ઘટાડીને 10 % કરવામાં આવશે. મુંબઈને પીવાનું પાણી પહોંચાડનારા તમામ સાત તળાવોનોનું પાણી શહેરને લગભગ 328 દિવસ સુધી ચાલશે, એમ મનપાના અધિકારીએ જણાવ્યું હતું.

 કેચમેન્ટ વિસ્તારોમાં પાણીનો કુલ સ્ટોક 85 % સુધી પહોંચી ગયો છે. હાલનો પાણી સ્ટોક પાછલા વર્ષ કરતા  ઓછો એટલે કે 94.28 % છે. આથી પાણી કાપને સંપૂર્ણપણે હટાવવાનો નિર્ણય લેવાયો નથી, કેમ કે તમામ તળાવો ભરાય ત્યાં સુધી મનપા રાહ જોશે.

એક વરિષ્ઠ નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે, “કેચમેન્ટ વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ભારે વરસાદ થયો છે. આમ છતાં પાણી કાપ રદ કરી શકાય એટલો નથી. પાણીનો કુલ સ્ટોક તેની નક્કી કરેલી સપાટી  સુધી પહોંચ્યો નથી. અને હજી આગામી દિવસોમાં કેટલો વરસાદ પડશે તેનાં પર પાણી કાપ નો આધાર રહેલો છે. આમ હાલ તો મુંબઈગરાઓ ને 20 ટકા પાણી કાપને બદલે 10 ટકા જ પાણી કાપ નો સામનો કરવો પડી રહ્યો છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More