Site icon News Continuous Bureau | Mumbai

ભ્રષ્ટાચાર મામલે અરુણ શૌરી વિરુદ્ધ તપાસ શરૂ.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

17 સપ્ટેમ્બર 2020 

રાજસ્થાનની જોધપુરની એક વિશેષ સીબીઆઇ અદાલતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરી સહિત કુલ ચાર લોકોની વિરુદ્ધમાં ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે. આરોપ છે કે વર્ષ ૨૦૦૨ માં તેમના નેતૃત્વ હેઠળ સરકારે જે હોટલ વેંચી તેને કારણે સરકારને ૨૪૪ કરોડ રૂપિયાનું નુકસાન થયું. 

આ સાથે જ કોર્ટે આદેશ આપ્યો કે ઉદયપુરની લક્ષ્મી વિલાસ પેલેસ હોટલ રાજ્ય સરકારને સોંપવામાં આવે. 

સુનાવણી કરી રહેલા ન્યાયમૂર્તિ એ જણાવ્યું કે પ્રથમ દૃષ્ટિએ જોતાં એવું લાગે છે કે અરૂણ શૌરી અને તેમના વિભાગના જે તે સમયના કર્મચારીઓએ સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડયું છે. પ્રથમ દ્રષ્ટિએ આ હોદ્દાનો દુરુપયોગ છે.

આમ 18 વર્ષ પછી અરુણ શૌરી કાયદાના સપાટામાં આવ્યા છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version