Site icon

Manipur Violence: મણિપુર હત્યાકાંડ કેસમાં પૂણે કનેક્શન, માસ્ટર માઈન્ડ સુધી પહોંચી CBI.. જાણો શું છે આ સમગ્ર મામલો. .

Manipur Violence: મણિપુરમાં બે વિદ્યાર્થીઓનું અપહરણ થયું હતું. જે બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ સંદર્ભે એક વીડિયો વાયરલ થયો હતો. હવે સીબીઆઈ આ કેસના ‘માસ્ટર માઈન્ડ’ સુધી પહોંચી ગઈ છે. આ કેસમાં તે આરોપીનું પૂણે કનેક્શન સામે આવ્યું હતું.

CBI reaches Pune connection, mastermind in Manipur massacre case….

CBI reaches Pune connection, mastermind in Manipur massacre case….

News Continuous Bureau | Mumbai 

Manipur Violence: મણિપુર (Manipur) માં છેલ્લા ઘણા મહિનાઓથી હિંસા ચાલી રહી છે. આ હિંસાને રોકવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં મણિપુરમાં બે વિદ્યાર્થીઓનું અપહરણ થયું હતું. જે બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ સંદર્ભે એક વીડિયો વાયરલ થયો હતો.

Join Our WhatsApp Community

આ વીડિયો જોયા પછી દેશભરમાં ઉગ્ર માહોલ છવાયો છે. કેન્દ્ર સરકારે આ કેસની તપાસ સેન્ટ્રલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન (CBI) વિભાગને સોંપી હતી. હવે સીબીઆઈ આ કેસના ‘માસ્ટર માઈન્ડ’ સુધી પહોંચી ગઈ છે. આ કેસમાં તે આરોપીનું પૂણે કનેક્શન (Pune Connection) સામે આવ્યું હતું.

CBI છેલ્લા કેટલાક દિવસોથી મણિપુર હત્યાકાંડના આરોપીઓને શોધી રહી હતી. આ કેસના આરોપીઓએ મણિપુરના 17 વર્ષના વિદ્યાર્થી હિજામ લિન્થોઈંગમ્બી અને 20 વર્ષના ફિજામ હેમજીતનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ 25 સપ્ટેમ્બરે તેની હત્યાનો વીડિયો સામે આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : World Cup 2023: ભારત – પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલા માટે અમદાવાદ તૈયાર, આઠમી વખત મેચ જીતવા ઉતરશે ટીમ ઇન્ડિયા.. જાણો વિગતે અહીં…

આખરે પૂણેમાં ‘માસ્ટર માઈન્ડ’ પકડાયો…

સીબીઆઈએ આ કેસમાં તપાસ શરૂ કર્યા બાદ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પાઓમિનલુન હાઓકિપ, એસ માલસામ હાઓકિપ, લ્હિંગનીચોંગ બાયતેકુકી અને તિનિલહિંગ હેન્થાંગની 1 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ મુખ્ય સૂત્રધાર ફરાર થઈ ગયો હતો.

મણિપુરમાં બે યુવકોના અપહરણ અને હત્યાના કેસમાં CBI દ્વારા ‘માસ્ટર માઈન્ડ’ની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ પૂણે આવ્યા બાદ તે વ્યક્તિની ધરપકડ કરી હતી. સીબીઆઈ દ્વારા 11 ઓક્ટોબરે પૂણેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. 22 વર્ષીય પાઓલુનમેંગની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 16 ઓક્ટોબર સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધો છે. તે મણિપુરમાં બે વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યા કેસમાં આરોપી છે.

સીબીઆઈને માહિતી મળી હતી કે, પાઓલુનમંગ છેલ્લા ઘણા દિવસોથી પૂણેમાં છુપાયેલો છે. જે બાદ સીબીઆઈની ટીમ પુણે શહેરમાં ગઈ હતી. તેની ધરપકડ કરીને દિલ્હી લઈ જવામાં આવ્યો હતો. કોર્ટે તેને સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધો હતો. શું કોઈએ પૂણેથી પાઓલુનમંગને મદદ કરી? આ અંગે સીબીઆઈ પણ તપાસ કરશે. આરોપીઓની સીબીઆઈ કસ્ટડીમાંથી આ માહિતી બહાર આવે તેવી શક્યતા છે.

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version