Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ, હવે ગંગા મૈયાની દૈનિક આરતીની જેમ થશે નર્મદા મૈયાની આરતી, ગોરાના ઘાટે આટલા રૂપિયા આપી ઉતારી શકશો નર્મદા મૈયાની આરતી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,25 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

મંગળવાર. 

નર્મદા નદીના ગોરા ઘાટ પર હવેથી નર્મદા આરતી રોજ થશે, જોકે તેનું લોકાર્પણ વિધવિત હજુ બાકી છે પરંતુ તંત્ર દ્વારા નિર્માણ ઘાટ પર રોજ ૫૧ દીવાની ૭ આરતી કરવામાં આવી રહી છે. હાલ આ આરતી બ્રાહ્મણો કરી રહ્યા છે અને પરંતુ શૂલપાણેશ્વર ટ્રસ્ટ અને એસઓયુ સત્તામંડળ ના સંયુક્ત નિર્ણય થી હવે આ નર્મદા આરતીનો લાભ ભક્તો પ્રવાસીઓ માણી શકે એટલે રોજના ૭ જેટલા ભક્તો ને યજમાનપદ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. 

યજમાન પદ મેળવી ભક્તો આરતી જાતે નહીં કરી શકે પરંતુ પોતે સંકલ્પ લઈને બ્રાહ્મણો દ્વારા આ મહા આરતી કરવામાં આવશે એટલે જેતે દિવસે તેમના નામની આરતી થશે આ માટે એક આરતી કરાવવાનો ચાર્જ ૨૫૦૦ રૂપિયા હાલમાં નક્કી કરવામાં આવ્યો છે અને જે ખર્ચ ને સુલપાણેશ્વર મંદિર અને ઘાટ ના મેન્ટેનન્સમાં આ રકમ ખર્ચ થશે. આમ રોજના ૭ યજમાન આરતી કરાવે તો રોજની ૧૭,૫૦૦ રૂપિયાની રોજની આરતી થાય. 

કોરોનાની અસર ગુજરાતના ટૂરિઝમ ક્ષેત્ર પર જોવા મળી, ધોરડો સફેદ રણમાં આટલા ટકા પર્યટકો ઘટ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે આ મહા આરતીનો રેટ હાલ એસઓયુ ટિકિટ ની વેબસાઈડ પર મુકવામાં આવ્યું છે અને પ્રવાસીઓ ટિકિટ કરાવે તો સાથે જાે તેમની ઈચ્છા નર્મદા ઘાટ મહા આરતીની કરવવાની હોય તો તેની ૨૫૦૦ રૂપિયા ભરીને આરતી બુક કરાવી શકે છે. એસઓયુ સહિતના સ્થળો ફરીને સાંજે આરતીમાં આવે તો તેમના નામની આરતી તૈયાર મળે, આવી જ રીતે જેમને ભગવાન શૂલપાણેશ્વર મહાદેવ રુદ્રાભિષેક, નર્મદાભિષેક, પૂજા કરવી હોય અથવા ઘ્વજારોહણ, સંકલ્પ પૂજા કરવી હોય તો તેનો પણ ચાર્જ આગામી દિવસોમાં નક્કી કરી વેબસાઈડ પર મુકવામાં આવશે,શૂલપાણેશ્વર ટ્રસ્ટ દ્વારા તેમની વેબસાઈડ લોન્ચ કરશે.

Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Exit mobile version