મહારાષ્ટ્રના કપડાંના વેપારીઓ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની શરણે, કેન્દ્ર સરકાર પાસે પોતાની વાત મનાવવાની કરી માંગણી; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 22 ડિસેમ્બર 2021

બુધવાર. 

કપડાં પરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં સાત ટકાનો વધારો કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. તેથી GST પરનો આટલો મોટો વધારો રદ કરાવવા કપડા ઉદ્યોગના વેપારીઓ મચી પડ્યા છે. GST માં કરવામાં આવેલા વધારાને પગલે કાપડ ઉદ્યોગને ભારે સહન કરવું પડશે એવો વેપારીઓનો દાવો છે. પરંતુ કેન્દ્ર સરકાર દાદ આપતી નથી. તેથી હવે મુંબઈના વેપારીઓએ ભાજપના નેતા અને મહારાષ્ટ્રના વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસની મદદ લેવા પહોંચી ગયા હતા. 

તાજેતરમાં મુંબઈના વેપારીઓના એક પ્રતિનિધ મંડળે ભાજપના નેતા રાજ પુરોહિતના નેતૃત્વમાં દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ સહિત રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની મુલાકાત લીધી હતી. કપડા પર આટલા મોટા પ્રમાણમાં લાગુ કરવામાં આવેલા GSTને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર અને GST પરિષદ પર દબાવ લાવવા વેપારીઓએ વિનંતી કરી હોવાનું માનવામાં આવે છે. તેમાં વેપારીઓની વ્યથા કેન્દ્ર સરકાર સુધી પહોંચડવાનું દેવેન્દ્ર ફડણવીસે આશ્વાસન આપ્યું હોવાનું કહેવાય છે.

બિહાર ના પૂર્વ સીએમ ની જીભ કાપી નાંખનાર પર ઇનામ જાહેર કરવામાં આવ્યું. થયો હંગામો.

અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પહેલી જાન્યુઆરી 2022થી કપડા પરના GST દરને પાંચ ટકાથી વધારીને 12 ટકા કરી રહી છે. જેની સામે દેશભરના કાપડ ઉદ્યોગ દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment