News Continuous Bureau | Mumbai
Rameshwar Temple Mehsana : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગુંછળી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહારુદ્રી યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રધ્ધાપૂર્વક જોડાયા હતા. મુખ્યમંત્રી એ મંદિર પરિસરમાં લગભગ 250 કિલો વજનના અલૌકિક ઘંટનું અનાવરણ કર્યુ હતું અને ત્યારબાદ મુખ્યમંત્રીએ મંદિરના ગર્ભ ગૃહમાં પૂજન અર્ચન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી હતી, તેમણે મંદિર પરિસરમાં ધન્વંતરી ઔષધિવન, બીલીવન અને નક્ષત્ર વનની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ( Bhupendra Patel ) એ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આ દિવાળી અને નવા વર્ષે આપણે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છીએ. 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થયા હોય તે પછીની આ પ્રથમ દિવાળીના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. અહીંયા ગુંછળી ખાતે પણ રામેશ્વર મહાદેવ મંદિર ( Rameshwar Mahadev Temple ) 300 વર્ષ જૂનું છે જેનું પુનઃ નિર્માણ કરી આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આપણી વિરાસત અને સંસ્કૃતિને જાળવીને વિકાસ કરવાના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધી રહ્યા છીએ.
મુખ્યમંત્રી ( Maharudri Yagna and Pran Pratistha Mahotsav ) એ જણાવ્યું કે, વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા ગુજરાત અગ્રેસર રહે તે માટે આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવો પડશે. વધુમાં તેમણે ઉમેર્યું કે અહીંયા નક્ષત્ર વન ઔષધિવન અને બીલીવનનું નિર્માણ કરવામાં આવ્યું છે તેનો લાભ અહી આવનાર દરેકને મળશે.
हर हर महादेव 🙏
વિજાપુર તાલુકાના ગુંછળી ગામે જ્ઞાન, કર્મ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા શ્રી રામેશ્વર મહાદેવના ભવ્ય શિવાલયના પુન:નિર્માણ અને અન્ય દેવી-દેવતાઓની પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
નવા વર્ષે આ પાવન ક્ષણના સાક્ષી બનવાનો અવસર મળ્યો તેનો મને… pic.twitter.com/H7iM7M8kMd
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 4, 2024
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી રામેશ્વર મહાદેવની ( Rameshwar Temple Mehsana ) દ્રષ્ટિ સન્મુખ પરિસરમાં પૂર્વ દિશામાં નક્ષત્ર વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. નક્ષત્રવન એસ્ટ્રોથીમ એટલે કે જ્યોતિષશાસ્ત્ર આધારિત બગીચો છે. જેમાં રાશિ ચક્ર સાથે જોડાયેલા છોડ અને વૃક્ષો આવેલા હોય છે. આ નક્ષત્ર વનમાં નક્ષત્રોની સંખ્યા મુજબ કુલ 27 નક્ષત્ર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : CM Bhupendra Patel Bhavnagar: ભાવનગરમાં ગૌ ગોષ્ઠી સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી, કહ્યું , ‘પશુઓ માટે કરવામાં આવી રહી છે આ કામગીરી’.
આ ઉપરાંત બીલીવૃક્ષોથી આચ્છાદિત બીલીવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ મંદિર પરિસરમાં ધન્વંતરી ઔષધીવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઔષધી વનમાં દુર્લભ તેમજ પ્રચલિત 108 જેટલી ઔષધીઓનો ઉછેર કરવામાં આવ્યો છે. જે દરેક છોડનું ટેગિંગ કરવામાં આવશે. જેમાં દર્શાવેલ ક્યુઆરકોડ સ્કેન કરવાથી તે ઔષધીય વનસ્પતિનો પરિચય અને સ્વાસ્થ્ય માટે તેનો ઉપયોગ સહેલાઈથી જાણી શકાશે.
શ્રી રામેશ્વર મહાદેવના સુંદર મંદિર પરિસરની સાથોસાથ ગુંછળી ગામને હરિયાળું બનાવવા માટે રામેશ્વર મહાદેવ ટ્રસ્ટ, ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા સુંદર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રકૃતિ અને સંસ્કૃતિના સમન્વયના આ પ્રયાસોને હું બિરદાવું છું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ… pic.twitter.com/pFrPV2XqEu
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 4, 2024
આ ( Mehsana ) કાર્યક્રમ દરમ્યાન આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યસભા સાંસદશ્રી મયંકભાઇ નાયક, લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્યશ્રી સી.જે. ચાવડા, માણસા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલ, અગ્રણી સર્વશ્રી ગીરીશભાઈ રાજગોર, પી.આઈ. પટેલ, રમણભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, ડી.ડી. પટેલ, મુકેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી ડૉ. હસરત જૈસમીન તેમજ ટ્રસ્ટીશ્રીઓ દાતાશ્રીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)