Devendra Fadnavis: બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે દેવેન્દ્ર ફડણવીસ લાલઘૂમ: મહારાષ્ટ્રમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી, લિબરલ્સને આપ્યો જડબાતોડ જવાબ.

મુંબઈમાં ઘૂસણખોરોનું રહેવું અશક્ય કરી દઈશું; બિલ્ડરો અને હોટલ માલિકોને પણ સૂચના - જો ઓળખ વગર બાંગ્લાદેશીઓને કામ પર રાખશો તો થશે કાર્યવાહી.

by aryan sawant
Devendra Fadnavis। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની વાંધાજનક તસવીર વાયરલ મામલે કાર્યવાહી આરોપીની ધરપકડ, રાજકીય કનેક્શનનો ખુલાસો.

News Continuous Bureau | Mumbai

Devendra Fadnavis  મુંબઈમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા વધતી જતી વસ્તી અંગે ટાટા ઇન્સ્ટિટ્યૂટ (TISS) નો રિપોર્ટ અત્યંત ચિંતાજનક છે. આ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું છે કે મહારાષ્ટ્ર સરકાર હવે આ ઘૂસણખોરો સામે આરપારની લડાઈ લડવા તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર એવી વ્યવસ્થા ઉભી કરી રહી છે કે જેનાથી આવા ગેરકાયદેસર લોકોનું મુંબઈમાં રહેવું અશક્ય બની જશે.

ઘૂસણખોરોની ‘મોડસ ઓપરેન્ડી’ સરકારના રડાર પર

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઘૂસણખોરીની પદ્ધતિ હવે સરકારના ધ્યાનમાં આવી ગઈ છે. ઘૂસણખોરો પહેલા પશ્ચિમ બંગાળમાં આવે છે, ત્યાં નકલી દસ્તાવેજો બનાવે છે અને પછી મુંબઈ પહોંચે છે. પકડાયેલા લોકોની પૂછપરછમાં આ નેટવર્કનો ખુલાસો થયો છે. ફડણવીસે કહ્યું કે, “દેશના આંકડા તપાસશો તો ખ્યાલ આવશે કે બાંગ્લાદેશીઓને શોધીને હાંકી કાઢવામાં મહારાષ્ટ્ર અને મુંબઈ દેશમાં સૌથી આગળ છે.”

બિલ્ડરો અને હોટલ માલિકોને ફડણવીસની કડક ચેતવણી

મુખ્યમંત્રીએ મુંબઈના વિકાસકર્તાઓ, બિલ્ડરો અને હોટલ માલિકોને સ્પષ્ટ સૂચના આપી છે કે માત્ર સસ્તા મજૂરો મેળવવા માટે બાંગ્લાદેશીઓને કામ પર રાખશો તો તમારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઓળખની ખાતરી અને પોલીસ વેરિફિકેશન વગર કોઈ પણ શ્રમિકને કામે રાખવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો : Mumbai Police: મુંબઈમાં નકલી નોટોનો કાળો કારોબાર: BMC ચૂંટણી પહેલા મોટી જપ્તી, 60% કમિશન પર ચાલતું હતું જાલી નોટોનું આખું રેકેટ.

 “હું દેશની સુરક્ષા જોખમાય તેવો લિબરલ નથી”

પાકિસ્તાનની ISI અને બાંગ્લાદેશી ઘૂસણખોરોના જોડાણ પર બોલતા ફડણવીસે કહ્યું, “હું સેક્યુલર અને લિબરલ હોઈ શકું છું, પણ હું ‘મૂર્ખ લિબરલ’ નથી. પોતાની છબી સુધારવા માટે હું દેશની સુરક્ષા અને એકતા સાથે સમાધાન કરી શકું નહીં. મારો વિરોધ એવા લોકો સામે છે જે આ દેશને પોતાનો માનતા નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે હિન્દુ ધર્મે સર્વધર્મ સંભાવ શીખવ્યો છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમજૂતી થશે નહીં.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More