Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના આ પ્રદેશ અધ્યક્ષએ કેન્દ્ર સરકાર સામે પેટ્રોલ-ડીઝલને લઈને તાક્યું તીર, કહ્યું સેસ વધારીને રાજ્ય સરકારના 30 હજાર કરોડ પડાવી લીધા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 18 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

છેલ્લા સાત વર્ષથી પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં વધારો કરીને મોદી સરકાર જનતાને લૂંટી રહી છે. તેવો આક્ષેપ કોંગ્રેસે મોદી સરકાર પર લગાવ્યો છે. લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ કેન્દ્ર સરકારે 3 નવેમ્બરના રોજ પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડી દીધી છે, પરંતુ બીજી તરફ સેસ લગાવીને લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાથી રાજ્યોનો હિસ્સો ઘટશે. પહેલેથી જ 1 માર્ચ, 2021થી 31 ઓક્ટોબર 2021 સુધીમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસેથી લગભગ 30,000 કરોડ રૂપિયા પડાવી લીધા છે. તેવો આક્ષેપ મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ લગાવ્યો છે.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ઇંધણ પર સેસ વધારીને સામાન્ય જનતા અને રાજ્ય સરકારોનું આર્થિક શોષણ કરી રહી છે. પટોલેએ ઇંધણ પર ટેક્સ કાપના મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે હાલમાં દેશમાં પેટ્રોલ પર 27.90 રૂપિયા અને ડીઝલ પર 21.80 રૂપિયા સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી વસૂલવામાં આવે છે. નિયમો અનુસાર રાજ્ય સરકારને પેટ્રોલ પર 11.16 રૂપિયા અને ડીઝલ પર 8.72 રૂપિયા ચૂકવવાના હતા. વર્ષ 2020-21માં રાજ્ય સરકારને પેટ્રોલ પર 13.16 રૂપિયાને બદલે માત્ર 56 પૈસા અને ડીઝલ પર 12.72 રૂપિયાને બદલે માત્ર 72 પૈસા ચૂકવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે 18 રૂપિયાનો રોડ ડેવલપમેન્ટ સેસ અને 4 રૂપિયાનો કૃષિ સેસ લાદ્યો છે. રાજ્યને સેસમાં તેનો હિસ્સો મળતો નથી. પરિણામે, એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાથી રાજ્યને મળતો હિસ્સો નીચે આવ્યો છે.

કુલભૂષણ જાધવને મળી મોટી રાહત: આંતરરાષ્ટ્રીય કોર્ટના દબાણ સામે ઝુક્યુ

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version