Site icon News Continuous Bureau | Mumbai

 મહામારીનું સંક્રમણ ઘટ્તા દિલ્હી બાદ હવે આ રાજય સરકારે પણ કોરોના નિયમોમાં આપી છૂટછાટ, જારી કરી નવી ગાઈડલાઈન; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 નવેમ્બર,  2021 

Join Our WhatsApp Community

બુધવાર.

ઉત્તરાખંડમાં કોરોનાના દર્દીઓના ઘટાડાને અને તહેવારો ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ નિયંત્રણો હટાવ્યા છે.

આ સંદર્ભમાં મુખ્ય સચિવ ડૉ.એસ.એસ. સંધુ દ્વારા 20 નવેમ્બર સુધી નવી SOP જારી કરવામાં આવી છે.

નવા SOP મુજબ 100% ક્ષમતા સાથે લગ્ન સમારોહનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

સાથે જ કોચિંગ સંસ્થાઓ પણ 100% ક્ષમતા સાથે કામ કરી શકશે.

આ સિવાય રાજ્યમાં તમામ વ્યાપારી સંસ્થાઓ હવે 100 ટકા ક્ષમતા સાથે ખુલશે. 

જીમ, શોપિંગ મોલ, સિનેમા હોલ, સલુન્સ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થિયેટર, ઓડિટોરિયમ, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, સ્પોર્ટ્સ સંસ્થાઓ, સ્ટેડિયમ, હોટલ, રેસ્ટોરન્ટ, ભોજનશાળા વગેરે કોવિડ પ્રોટોકોલ હેઠળ ખુલશે.

નિષ્ણાંતોનું માનવું છે કે કોરોના હજુ પૂરો થયો નથી. તેથી બેદરકારી માટે કોઈ અવકાશ નથી. તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે લોકોએ પોતાની જાત પ્રત્યે સાવચેતી રાખવી પડશે. ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો અને માસ્ક, સેનિટાઈઝર વગેરેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખો.

શરમજનક! અનુષ્કા-વિરાટની 9 મહિનાની દીકરી વામિકાને મળી રહી છે બળાત્કારની ધમકી, આ સંગઠને મોકલી દિલ્હી પોલીસને નોટિસ; જાણો વિગત  

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version