ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર.
સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી છે ત્યારે વિસ્તાર ના લોકો ને અગવડ ના પડે અને ઝડપથી ફોર્મ જમા થઈ જાય તેના માટે બાપુનગરના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે પોતાના જ કાર્યાલય પર હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે. જેમાં બાપુનગર વોર્ડમાં કોરોનાના મૃત્યુ પામેલા લોકોની યાદી તૈયાર કરી તેમને આજે ફોર્મમાં સહાય માટે આપવાના થતા તમામ ડોક્યુમેન્ટ સાથે બોલાવ્યા છે.
લોકોને મામલતદાર ઓફિસમાં લાઈનમાં ઉભા રહેવાનું અને ધક્કા ખાવા ન પડે તેના માટે અમે જ ફોર્મ લઈ મામલતદારને આપીશું. બાપુનગરના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે દ્વારા લોકોને તકલીફ ન પડે તેવી સુવિધાઓ ઉભી કરી છે. ત્યારે ભાજપના અન્ય કોર્પોરેટરો પણ આવી રીતે સાચા જન પ્રતિનિધિ બની પોતાના વોર્ડમાં જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેમના પરિવારોની સંપર્ક કરી આવી રીતે હેલ્પ ડેસ્ક ઉભા કરવા જોઈએ.
કાર્યાલય પર ફોર્મ માટે ડોક્યુમેન્ટ જમા કરાવી ચેક કરી નોટરી કરાવવામાં આવશે અને આ ફોર્મ ત્યાં જ જમા લઈ મામલતદાર ખુદ ફોર્મ ત્યાંથી લઇ જશે. લોકોને મામલતદાર ઓફિસમાં ધક્કા ન ખાવા પડે તે માટે કોર્પોરેટરે પોતાના ત્યાં જ સુવિધા ઉભી કરી દીધી છે. પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે કોરોનાની સહાય લોકોનો ઝડપથી મળેઅને ધક્કા ખાવા ન પડે તેના માટે બાપુનગર કાર્યાલય ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે. બાપુનગર વોર્ડમાં કોરોનાથી 160 લોકોના મોત થયા હતા જેની યાદી અમારી પાસે હતી. આ તમામ લોકોને કોરોનામાં સહાય માટેના ફોર્મ જમા કરાવવા માટે અમે ડોક્યુમેન્ટની માહિતી વોટ્સએપ કરી આપી હતી. તમામ ડોક્યુમેન્ટ સાથે આ વારસદારોને બોલાવ્યા છે. એક ટેબલ પર અમે ડોક્યુમેન્ટ ચેક કરીશું. બીજા ટેબલ પર સ્ટેમ્પ સાથે નોટરી કરી આપવામાં આવશે. જેના માટે વકીલ પણ રાખ્યા છે. ત્યાં જ ડોક્યુમેન્ટ સાથે ફોર્મ લઈ લેવામાં આવશે. બપોર સુધીમાં જેટલા ફોર્મ જમા થશે તે મામલતદારને આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકોને ઝડપથી સહાય મળે તે અમારો પ્રયાસ છે.