News Continuous Bureau | Mumbai
બીપરજોય ચક્રવાતી વાવાઝોડુંના પગલે અલંગમાં દરિયાકિનારે ૭ ફુટ મોજા ઉછળ્યા વાવાઝોડાને લઈને ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન વધવાની સાથે તીવ્ર થવાની સંભાવના ગુજરાતના અનેક જિલ્લાનું વાતાવરણ બદલાશે, જેમાં રાજ્યમાં બીપરજોય ચક્રવાતી વાવાઝોડું આવવાનું છે. આ વાવાઝોડાને લઈને ઘોઘા બંદર પર ૦૧ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યું છે. આ સાથે અલંગના દરિયાકિનારે હેવી કરંટ જોવા મળ્યો હતો જેના કારણે ૭ ફુટ જેટલા મોજા ઉછળ્યા હતા, ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે, જેના કારણે આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ જશે.ગુજરાત ઉપરાંત અનેક જિલ્લાઓમાં પણ આ ચક્રવાતી મહારાષ્ટ્રના તોફાનની અસર જોવા મળશે. જેમાં આજે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન રચાયું છે જે આગામી ૨૪ કલાક દરમિયાન ઉત્તર તરફ આગળ આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની આગાહી ક૨વામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્ર: કોલ્હાપુરમાં ઔરંગઝેબના ફોટા પર બબાલ, હિંદુવાદી સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા,આ તારીખ સુધી કર્ફ્યુનું એલાન
હવામાન વિભાગે જણાવ્યું કે ૭ જૂન સુધી ચક્રવાત બાયપરોયના કારણે ભારે વાવાઝોડા સાથે વરસાદ પડશે. પવનની ઝડપ ૫૦ કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે,રાજ્ય પ્રશાસને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.