Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાના કારણે રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનનું અવસાન; કૉન્ગ્રેસને પડી મોટી ખોટ, વડા પ્રધાન મોદીએ પણ શોક વ્યક્ત કર્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

કોરોનાની ગંભીર પરિસ્થિતિને કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હવે રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગન્નાથ પણ કોરોનાને લીધે અવસાન થયું છે. તે ૧૯૮૦થી ૧૯૮૧ દરમિયાન રાજસ્થાનના મુખ્ય પ્રધાનપદ પર રહ્યા હતા. જગન્નાથ પહાડિયાના નિધનથી કૉન્ગ્રેસને મોટી ખોટ પડી છે. રાજ્ય સરકારે તેમના નિધન પર એક દિવસના શોકની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને વડા પ્રધાન મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.

અશોક ગેહલોતે ટ્વીટ કરીને લખ્યું હતું કે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગન્નાથ પહાડિયાના નિધનની ખબર દુ:ખદ છે. તેમણે મુખ્ય પ્રધાન, રાજ્યપાલ અને કેન્દ્રીય પ્રધાન તરીકે લાંબા સમય સુધી દેશની સેવા કરી હતી. તેઓ દેશના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા.

વડા પ્રધાન મોદીએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની લાંબી રાજકીય અને વહીવટી કારકિર્દીને યાદ કરતાં ટ્વિટર પર લખ્યું હતું કે રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન જગન્નાથ પહાડિયાજીના નિધનથી દુ:ખી છું. તેમની લાંબી રાજકીય અને વહીવટી કારકીર્દિમાં, તેમણે સામાજિક સશક્તીકરણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ૮૯ વર્ષના જગન્નાથ પહાડિયા કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા હતા. પહાડિયા રાજસ્થાનના પ્રથમ દલિત મુખ્ય પ્રધાન હતા, ત્યાર બાદ તેમણે બિહાર અને હરિયાણાના રાજ્યપાલ તરીકે પણ કમાન સંભાળી હતી. તેમણે જ રાજસ્થાનમાં સંપૂર્ણ દારૂબંધી લાગુ કરી હતી.

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version