કોરોના સંક્ર્મણ ઘટતા દિલ્હી થયું અનલોક, રાજ્ય સરકારે જારી કરી નવી કોવિડ-19 માર્ગદર્શિકા; જાણો શું ખુલશે અને શું બંધ રહેશે  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑક્ટોબર, 2021

શનિવાર

દેશના પાટનગર દિલ્હીને ધીમે-ધીમે અનલોક કરવાની પ્રક્રિયા થઇ રહી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ દિલ્હીમાં થિયેટર અને મલ્ટીપ્લેક્સને સંપૂર્ણ ક્ષમતા સાથે ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

સાથે જ સરકારે લગ્નને લઈને પણ થોડી છૂટછાટ આપી છે. નવા નિયમો અનુસાર હવે રાજધાનીમાં 200 લોકો લગ્નમાં સામેલ થઈ શકશે.  

જોકે, રેસ્ટોરાં, બાર અને ઓડિટોરિયમને હજી પણ 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપી છે. 

આ દરમિયાન તમામ પ્રકારના સામાજિક, ધાર્મિક, રમતગમત જેવા કાર્યક્રમો પર પ્રતિબંધ ચાલુ રહેશે.

અગાઉ, રાજ્યમાં સિનેમા હોલને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી અને લગ્નોમાં હાજરી આપનાર લોકોની સંખ્યા 100 હતી.

ઈસાઈ ધર્મના સર્વોચ્ચ નેતા પોપ ફ્રાંસિસ સાથે વડાપ્રધાન મોદીએ કરી મુલાકાત, બંને નેતાઓ વચ્ચે આ મુદ્દે થઇ ચર્ચા ; જાણો વિગત
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More